શોધખોળ કરો

PNB Alert: પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન! કરો આ કામ નહિંતર બંધ થઈ શકે છે તમારું એકાઉન્ટ

PNBએ તેના તમામ ગ્રાહકોને એક ચેતવણી જારી કરી છે કે તેઓએ તેમના ખાતામાં KYC કરાવવું આવશ્યક છે. બેંકે આ કામ માટે 12 ડિસેમ્બર 2022 સુધીની ડેડલાઈન જાહેર કરી છે.

Punjab National Bank Alert Customers: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. જો તમે પણ આ બેંકમાં ખાતાધારક છો તો તમારા માટે પણ આ કામ 12 ડિસેમ્બર 2022 સુધીમાં પૂરૂ કરી લેવુ હિતાવહ રહેશે. નહિંતર તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. 

PNBએ તેના તમામ ગ્રાહકોને એક ચેતવણી જારી કરી છે કે તેઓએ તેમના ખાતામાં KYC કરાવવું આવશ્યક છે. બેંકે આ કામ માટે 12 ડિસેમ્બર 2022 સુધીની ડેડલાઈન જાહેર કરી છે. જો તમે પણ આ કામ ઝડપથી નહીં કરો તો બેંક તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેશે. માટે જો તમે કેવાયસી ના કર્યું હોય તો સોમવારે જ PNBની નજીકની શાખામાં જઈ આ કામ પૂરૂ કરી લો. આમ ના કરવા પર તમારૂ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકશો નહીં અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ગ્રાહકો પાસે માત્ર એક જ દિવસ

આજે 11મી ડિસેમ્બર 2022 રવિવાર છે. આવી સ્થિતિમાં આ દિવસે બેંકોમાં રજા હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકો પાસે આ કામ કરવા માટે માત્ર એક દિવસનો સમય બચ્યો છે. આવતીકાલે એટલે કે સોમવારે તમામ બેંકો ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે તમામ સરકારી અને બિન-સરકારી બેંકો માટે તેમના ખાતામાં KYC કરવાનું ફરજિયાત બનાવ્યું છે. માટે બેંક એવા ગ્રાહકોના ખાતા અસ્થાયી રૂપે ફ્રીઝ કરતી હોય છે જેમના ખાતામાં આ પ્રક્રિયા પૂર્ણ ના કરવામાં આવી હોય.

તમારા ખાતાની KYC થયું છે કે નહીં તે કેમ ખબર પડશે? 

પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને ઘરે બેઠા માત્ર એક કોલ કરીને તેમના ખાતાની કેવાયસી સ્થિતિ ચકાસી શકે તેવી સુવિધા આપે છે. આ માટે બેંકના કસ્ટમર કેર નંબર 18001802222 અથવા 18001032222 પર કોલ કરીને જાણી શકો છો કે તમારા ખાતામાં KYCની પ્રક્રિયા પુરી થઈ છે કે કેમ. એક વાત ધ્યાનમાં રાખો કે KYC અપડેટ કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર છે. આ કામ ઘરે બેસીને કરી શકાશે નહીં.

તમારા ખાતાની KYC આ રીતે કરાવો

આ અંગે માહિતી આપતાં બેંકે જણાવ્યું હતું કે, KYC અપડેટ કરવા માટે બેંકમાં જવું અનિવાર્ય છે. કોઈ બેંક અધિકારી તમને કોલ પર KYC અપડેટ કરવાનું કહેતા નથી. આ સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારના સાયબર ક્રિમિનલથી સાવધાન રહેવાની જરૂર છે. તમારો બેંક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક પાસબુક સાથે રાખો. ત્યાર બાદ બેંક કર્મચારીને તમારું KYC અપડેટ કરવા માટે કહો. તે તમારી પાસેથી તમામ જરૂરી દસ્તાવેજો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લેશે. ત્યાર બાદ તમારા ખાતાની KYC અપડેટ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget