શોધખોળ કરો

Post Office Scheme: પોસ્ટ ઓફિસની લોકપ્રિય સ્કીમ, માત્ર એક જ વાર પૈસાનું કરો રોકાણ કરો અને મેળવે 5000 રૂપિયાની માસિક આવક

Post Office MIS Scheme: પોસ્ટ ઓફિસ(Post Office)  દરેક વય જૂથ - બાળકો, વૃદ્ધો અને યુવાનો માટે ઘણી પ્રકારની બચત યોજના(Saving Schemes) ઓ ચલાવે છે.

Post Office MIS Scheme: પોસ્ટ ઓફિસ(Post Office)  દરેક વય જૂથ - બાળકો, વૃદ્ધો અને યુવાનો માટે ઘણી પ્રકારની બચત યોજના(Saving Schemes) ઓ ચલાવે છે. સુરક્ષિત રોકાણ અને ઉત્કૃષ્ટ વળતરના સંદર્ભમાં પણ આ યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. જો તમે રોકાણની સાથે નિયમિત આવક મેળવતા રહેવા માંગો છો, તો આ કિસ્સામાં પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Monthly Income Scheme)એટલે કે MIS એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આમાં, એકસાથે રોકાણ કર્યા પછી, વ્યાજની કમાણી આવતા મહિનાથી જ શરૂ થાય છે.

7.4%  વ્યાજ મળી રહ્યું છે 
જો આપણે પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પર નજર કરીએ તો, સરકાર આ યોજનામાં રોકાણ પર 7.4 ટકા વ્યાજનો ઉત્તમ દર આપે છે. MIS માં, તમને ખાતું ખોલવાની તારીખથી એક મહિનો પૂરો થયા પછી જ વ્યાજનો લાભ મળવાનું શરૂ થાય છે, એટલે કે, આ સરકારી યોજના રોકાણના આગલા મહિનાથી નિયમિત આવકની ખાતરી આપે છે, આમાં તમને જમા રકમ પર વ્યાજ મળે છે. વ્યાજ માસિક ચૂકવવામાં આવે છે. 

1000 રૂપિયાનું સતત રોકાણ કરવાનું શરૂ કરો
તમે માત્ર રૂ. 1,000 ના રોકાણ સાથે પોસ્ટ ઓફિસ MIS માં ખાતું ખોલાવી શકો છો. આમાં ખાતું બે રીતે ખોલી શકાય છે, પહેલું સિંગલ અને બીજું જોઈન્ટ એકાઉન્ટ. જો આપણે મહત્તમ રોકાણ મર્યાદા વિશે વાત કરીએ, તો એક જ ખાતાધારક આ યોજનામાં મહત્તમ રૂ. 9 લાખનું રોકાણ કરી શકે છે, જ્યારે સંયુક્ત ખાતું ખોલાવવા પર, તે મહત્તમ રૂ. 15 લાખનું રોકાણ કરી શકે છે. માસિક આવક યોજના હેઠળ રોકાણ કરવા માટે, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે.

દર મહિને રૂ. 5000 ની ગેરંટી આવક
હવે ચાલો વાત કરીએ કે એકવાર રોકાણ કર્યા પછી તમે આ સ્કીમમાંથી દર મહિને રૂ. 5000 થી વધુની આવક મેળવી શકો છો, આ માટે ચાલો પોસ્ટ ઓફિસ MIS કેલ્ક્યુલેટરની મદદ લઈએ. જો તમે આમાં રૂ. 5 લાખનું રોકાણ કરો છો, તો 7.4 ટકા વ્યાજના દરે તમને દર મહિને રૂ. 3,083ની વ્યાજની આવક મળશે, જ્યારે જો તમે વધુમાં વધુ રૂ. 9 લાખનું રોકાણ કરો છો, તો દર મહિને વ્યાજની આવક રૂ. 5550 થશે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં લોક ઇન પીરિયડ 5 વર્ષનો છે. જો તમે સંયુક્ત ખાતું ખોલો છો અને નિયમો અનુસાર એકસાથે 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 7.4%ના દરે 9,250 રૂપિયાની આવક મળશે. જો રોકાણકાર 5 વર્ષની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી દેવામાં આવે છે અને જમા રકમ નોમિની અથવા કાનૂની વારસદારોને પરત કરવામાં આવે છે. સ્કીમ બંધ થવાના છેલ્લા મહિના સુધી વ્યાજ ચૂકવવામાં આવશે.

પાકતી મુદત પહેલા ખાતું બંધ કરો તો શું થશે? 

જો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમની પાકતી મુદત પહેલા તમારું ખાતું બંધ કરવા માંગતા હો, તો તમે રોકાણની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા પછી જ આ કરી શકશો. જો ખાતું એક વર્ષ પછી અને ખાતું ખોલવાની તારીખથી 3 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે, તો રોકાણની રકમમાંથી 2% જેટલી રકમ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ ચૂકવવામાં આવશે. જો ખાતું 3 વર્ષ પછી અને ખોલવાની તારીખથી 5 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો, મૂળ રકમમાંથી 1% જેટલી રકમ બાદ કરવામાં આવશે અને બાકીની રકમ ચૂકવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નેપાળમાં ફરી ભડકશે હિંસા? Gen-Z અને UML કેડર વચ્ચે તણાવ વધતા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં આંખો અને હાર્ટ માટે આમળા વરદાન સમાન, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Embed widget