શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઘટતાં રૂપિયાને લઈ રઘુરામ રાજને કહ્યું, હજુ ચિંતાની વાત નથી, મોદી સરકારને આપી આ સલાહ
![ઘટતાં રૂપિયાને લઈ રઘુરામ રાજને કહ્યું, હજુ ચિંતાની વાત નથી, મોદી સરકારને આપી આ સલાહ Rbi ex-governor raghuram rajan statement on rupee ઘટતાં રૂપિયાને લઈ રઘુરામ રાજને કહ્યું, હજુ ચિંતાની વાત નથી, મોદી સરકારને આપી આ સલાહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25083931/rajan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ડોલર સામે રૂપિયાના થઈ રહેલા ધોવાણને લઈ ટિપ્પણી કરી છે. રાઘુરામ રાજને કહ્યું કે, રૂપિયો હજુ એટલો નીચે આવ્યો નથી, તેથી ચિંતાની વાત નથી. મોદી સરકારને સલાહ આપતાં તેમણે કહ્યું કે, રૂપિયાના અવમૂલ્યનથી ચાલુ ખાતાની ખોટનો ખ્યાલ રાખવો પડશે.
રાજને કહ્યું કે, ભારતે તેની રાજકોષીય ખાધ ઘટાડી છે. હાલ ચાલુ ખાતાની ખોટ વધી રહી છે. રાજને આ માટે ઓઈલની વધતી કિંમતોને જવાબદાર ગણાવી હતી.
આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું, રૂપિયાનું અવમૂલ્યન હાલ ચિંતાજનક સ્તરે નથી પહોંચ્યું. વૈશ્વિક રૂતે ડોલરની મજબૂતી તેનું કારણ હોઈ શકે છે. ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ વ્યાપક રીતે સ્થાયિત્વ બનાવી રાખવા મોટો પડકાર છે.
યુપીએ શાસનમાં સારા જીડીપી આંકડાના વિવાદ પર રાજને કહ્યું કે, હજુ આપણે આગળ જોવું પડશે. ભારત આશરે 7.5 ટકાના દરથી ગતિ કરી રહ્યું છે. પૂર્વ ગર્વનરે કહ્યું કે, ચાલુ ખાતાની ખોટ વધે નહીં અને રાજકોષીય ખાધ જળવાઈ રહે તેનું ભારતે ધ્યાન રાખવું પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)