શોધખોળ કરો

બેન્કોમાંથી કેટલાક જ કલાકોમાં ચેક થઈ જશે ક્લિયર, RBI લાગુ કરવા જઈ રહી છે નવી સિસ્ટમ

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

4 ઓક્ટોબરથી બેન્કમાં જમા થયાના થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આરબીઆઈએ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) ને કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે. આનાથી બેન્કમાં ચેક ક્લિયરિંગ માટે લાગતો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

આરબીઆઈ દ્ધારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026ની વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો 3જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ નવી સિસ્ટમ પર આ કહ્યું

આરબીઆઈએ નવી સિસ્ટમના કાર્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમાં ફક્ત એક જ પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રજૂ કરવાનો રહેશે. આ હેઠળ ચેક મેળવનાર બેન્કે ચેકને સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવાનો રહેશે.

આ પછી ક્લિયરિંગ હાઉસ તે ચેકની તસવીરને તે બેન્કને મોકલશે જેણે રકમ ચૂકવી છે. આ પછી તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ માટે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય હશે. આમાં જે બેન્કે રકમ ચૂકવી છે તેણે તે ચેક પર હકારાત્મક અથવા નકારાત્મક ટિપ્પણીઓ આપવી પડશે. અહીં મોટી વાત એ છે કે દરેક ચેકનો 'આઇટમ એક્સપાયરી ટાઈમ' હશે, તે સમય સુધીમાં ટિપ્પણીઓ આપવી જરૂરી છે.

પ્રથમ તબક્કો 4 ઓક્ટોબરથી અને બીજો તબક્કો 3 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે કન્ટીન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઈઝેશનના પ્રથમ તબક્કામાં બધી બેન્કો માટે ચેક ક્લિયર કરવા માટે 'આઇટમ એક્સપાયરી ટાઈમ' સાંજે 7 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.

જો બેન્કો નિર્ધારિત સમય સુધીમાં તેમની ટિપ્પણીઓ નહીં આપે તો ચેક સ્વીકારાયેલ માનવામાં આવશે અને તેને સેટલમેન્ટ માટે સમાવવામાં આવશે. બીજા તબક્કામાં તે ઘટાડીને ત્રણ કલાક કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે તેની રજૂઆતના ત્રણ કલાકની અંદર ચેક ક્લિયર કરવો પડશે.

ઉદાહરણ આપતાં RBI એ જણાવ્યું હતું કે ડ્રોઈ બેંકો દ્ધારા સવારે 10:00 થી 11:00 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થયેલા ચેકની પુષ્ટી બપોરે 2:00 વાગ્યા સુધીમાં (સવારે 11:00 વાગ્યાથી 3 કલાક) કરવાની રહેશે. જે ચેક નિર્ધારિત ત્રણ કલાકની અંદર ડ્રોઈ બેન્ક દ્વારા પુષ્ટી ન મળે તે ચેક બપોરે 2:00 વાગ્યે સ્વીકારવામાં આવશે અને તેને ક્લિયર માટે સમાવેશ કરવામાં આવશે.

RBI એ વધુમાં જણાવ્યું હતું કે સમાધાન પૂર્ણ થયા પછી ક્લિયરિંગ હાઉસ પ્રસ્તુતકર્તા બેન્કને સકારાત્મક અને નકારાત્મક પુષ્ટિકરણની માહિતી જાહેર કરશે. પ્રસ્તુતકર્તા બેન્ક તેની પ્રક્રિયા કરશે અને ગ્રાહકને તાત્કાલિક ચુકવણી રિલીઝ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG સિલિન્ડર ગ્રાહકો સાવધાન! ઇન્ડિયન ઓઇલે જારી કરી ચેતવણી, ભૂલથી પણ આ કામ ન કરતા
LPG સિલિન્ડર ગ્રાહકો સાવધાન! ઇન્ડિયન ઓઇલે જારી કરી ચેતવણી, ભૂલથી પણ આ કામ ન કરતા
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
ગેસ બિલ ઘટાડવું છે? જાણો LPG અને PNG માંથી તમારા માટે કયો વિકલ્પ વધુ સસ્તો અને બેસ્ટ છે!
ગેસ બિલ ઘટાડવું છે? જાણો LPG અને PNG માંથી તમારા માટે કયો વિકલ્પ વધુ સસ્તો અને બેસ્ટ છે!
Post office scheme: 50 રૂપિયાના રોકાણ પર 35 લાખ સુધીનું મજબૂત રિટર્ન, આ પોસ્ટ ઓફિસ સ્કીમ તમને બનાવશે અમીર 
Post office scheme: 50 રૂપિયાના રોકાણ પર 35 લાખ સુધીનું મજબૂત રિટર્ન, આ પોસ્ટ ઓફિસ સ્કીમ તમને બનાવશે અમીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
Embed widget