![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RBI એ આ બેંક પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ, ખાતાધારક માત્ર 5000 રૂપિયા ઉપાડી શકશે, એડવાન્સ અને લોન આપી શકશે નહીં
રિઝર્વ બેંકની મંજૂરી વિના, બેંક કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકશે નહીં, કોઈપણ વ્યવસ્થામાં સામેલ થઈ શકશે નહીં અને તેની મિલકતો વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
![RBI એ આ બેંક પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ, ખાતાધારક માત્ર 5000 રૂપિયા ઉપાડી શકશે, એડવાન્સ અને લોન આપી શકશે નહીં reserve bank of india take action against babaji date mahila urban bank customers withdraw only 5k RBI એ આ બેંક પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ, ખાતાધારક માત્ર 5000 રૂપિયા ઉપાડી શકશે, એડવાન્સ અને લોન આપી શકશે નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/27/6987780488bfa6e9385ade163429650e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RBI: ભારતીય રિઝર્વ બેંકે સોમવારે બાબાજી દાતે મહિલા અર્બન બેંક, યવતમાલ, મહારાષ્ટ્ર પર અનેક નિયંત્રણો લાદ્યા છે. તેમાં ગ્રાહકો માટે 5,000 રૂપિયાની ઉપાડ મર્યાદાનો પણ સમાવેશ થાય છે. સહકારી બેંકની કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે કેન્દ્રીય બેંકે આ પગલું ભર્યું છે.
8 નવેમ્બરે પ્રતિબંધો લાદવામાં આવ્યા
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળના નિયંત્રણો 8 નવેમ્બર, 2021 ના રોજ બિઝનેસ બંધ થયા પછી છ મહિના સુધી અમલમાં રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.
લોન અને એડવાન્સ આપી શકશે નહીં
યવતમાલની આ સહકારી બેંક હવે રિઝર્વ બેંકની મંજુરી વિના કોઈ ચુકવણી કરી શકશે નહીં કે કોઈ લોન કે એડવાન્સ આપી શકશે નહીં.
મિલકતો વેચવાનો અધિકાર પણ નહીં હોય
આ સિવાય, રિઝર્વ બેંકની મંજૂરી વિના, બેંક કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકશે નહીં, કોઈપણ વ્યવસ્થામાં સામેલ થઈ શકશે નહીં અને તેની મિલકતો વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
ચાલુ ખાતા ધારકો માત્ર 5000 રૂપિયા ઉપાડી શકશે
"બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા અન્ય ખાતાધારકો તેમના ખાતામાંથી રૂ. 5,000 થી વધુ રકમ ઉપાડી શકશે નહીં." નિવેદનમાં જણાવાયું છે.
આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે તેના પ્રતિબંધોને બેંકિંગ લાઇસન્સ રદ કરવા તરીકે જોવું જોઈએ નહીં. આરબીઆઈએ કહ્યું કે જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. વધુમાં, રિઝર્વ બેંક સંજોગોના આધારે સમયાંતરે આ નિર્દેશોમાં સુધારા અંગે વિચારણા કરી શકે છે.
આરબીઆઈએ કહ્યું કે આ નિયંત્રણો 8 નવેમ્બર, 2021 ના રોજ બિઝનેસ બંધ થયાના 6 મહિના સુધી અમલમાં રહેશે. લગભગ બે અઠવાડિયા પહેલા, આરબીઆઈએ મહારાષ્ટ્રની વસઈ વિકાસ સહકારી બેંક પર અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 90 લાખનો દંડ ફટકાર્યો હતો. તે જ સમયે લગભગ એક મહિનામાં આરબીઆઈએ મુંબઈની અપના સહકારી બેંક પર 79 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)