શોધખોળ કરો

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

sbi fd rate: 'અમૃત વર્ષા' સ્કીમ પર પણ કાતર ફરી, સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટીઝન્સના ખિસ્સા પર થશે સીધી અસર.

sbi fd rate: દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રોકાણકારોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. જો તમે તમારી બચતને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકવાનું વિચારી રહ્યા હોવ, તો હવે તમને ઓછું વળતર મળશે. બેંકે અમુક ચોક્કસ સમયગાળાની થાપણો પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકની વેબસાઈટ પર અપડેટ થયેલી માહિતી મુજબ, આ નવા સુધારેલા દરો 15 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવી ચૂક્યા છે. આ નિર્ણયની અસર સામાન્ય લોકોની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોની વ્યાજની આવક પર પણ પડશે.

2 થી 3 વર્ષની FD પર વ્યાજ ઘટ્યું

SBI એ મધ્યમ ગાળાની એટલે કે '2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી' મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં 5 બેસિસ પોઈન્ટ (bps) નો કાપ મૂક્યો છે.

સામાન્ય નાગરિકો: અગાઉ આ મુદત પર 6.45% વ્યાજ મળતું હતું, જે હવે ઘટીને 6.40% થઈ ગયું છે.

સિનિયર સિટીઝન્સ: વરિષ્ઠ નાગરિકો માટે આ દર 6.95% હતો, જે ઘટાડીને હવે 6.90% કરવામાં આવ્યો છે.

લોકપ્રિય 'અમૃત વર્ષા' યોજનામાં પણ ઘટાડો

SBI ની સૌથી વધુ ચર્ચિત 444 દિવસની સ્પેશિયલ સ્કીમ 'અમૃત વર્ષા' (Amrit Varsha) પણ હવે પહેલા જેટલી ફાયદાકારક રહી નથી.

સામાન્ય ગ્રાહકો: આ સ્કીમમાં વ્યાજ દર 6.60% થી ઘટાડીને 6.45% કરી દેવામાં આવ્યો છે.

સિનિયર સિટીઝન્સ: તેમને હવે 7.10% ને બદલે 6.95% વ્યાજ મળશે.

સુપર સિનિયર સિટીઝન્સ (80 વર્ષથી વધુ): તેમના માટે વ્યાજ દર 7.20% થી ઘટીને 7.05% થયો છે.

SBI ના સુધારેલા વ્યાજ દરો (15 ડિસેમ્બર, 2025 થી લાગુ)

સમયગાળો (Tenure) સામાન્ય નાગરિક (નવો દર)
સિનિયર સિટીઝન (નવો દર)
7 થી 45 દિવસ 3.05% 3.55%
46 થી 179 દિવસ 4.90% 5.40%
180 થી 210 દિવસ 5.65% 6.15%
211 દિવસ થી 1 વર્ષથી ઓછું 5.90% 6.40%
1 વર્ષ થી 2 વર્ષથી ઓછું 6.25% 6.75%
2 વર્ષ થી 3 વર્ષથી ઓછું 6.40% 6.90%
3 વર્ષ થી 5 વર્ષથી ઓછું 6.30% 6.80%
5 વર્ષ થી 10 વર્ષ સુધી 6.05% 7.05%

સુપર સિનિયર સિટીઝન્સ માટે શું છે નિયમ?

SBI પોતાના 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગ્રાહકો (સુપર સિનિયર સિટીઝન્સ) ને 'સિનિયર સિટીઝન કેર' અંતર્ગત વિશેષ લાભ આપે છે. તેમને સામાન્ય સિનિયર સિટીઝન કરતા પણ 10 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ મળે છે. જોકે, બેંકે સ્પષ્ટતા કરી છે કે આ વધારાનો લાભ રિકરિંગ ડિપોઝિટ (RD), ટેક્સ સેવિંગ FD અને નોન-કોલેબલ ડિપોઝિટ જેવી કેટલીક પ્રોડક્ટ્સ પર લાગુ પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget