શોધખોળ કરો

3kW કે 5kW? ઘર માટે કઈ સોલાર સિસ્ટમ છે બેસ્ટ? વીજળી બિલ ઘટાડવા આ વાતોનું ધ્યાન રાખો

3kW vs 5kW Solar System: વીજળીના વધતા બિલથી પરેશાન છો? જાણો તમારી જરૂરિયાત મુજબ 3kW અને 5kW સોલાર પેનલમાંથી કયો વિકલ્પ તમારા ઘર માટે સૌથી સારો અને સસ્તો સાબિત થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વીજળી બિલ બચાવવા સોલાર સિસ્ટમ, 3kW કે 5kW પસંદ કરો.
  • ઘરના વીજ વપરાશ મુજબ 3kW કે 5kW સિસ્ટમની પસંદગી કરો.
  • 5kW સિસ્ટમ માટે 9-10 પેનલ, 100 ચોરસ ફૂટ જગ્યા જરૂરી.
  • 3kW સિસ્ટમ મહિને ₹3000-₹5000, 5kW સિસ્ટમ ₹5000-₹10000 બચાવશે.

3kW vs 5kW Solar System: ઉનાળો આવતા જ એસી અને પંખાના વપરાશના કારણે વીજળીનું બિલ આસમાને પહોંચી જાય છે. આવામાં વીજળીના બિલમાંથી કાયમી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો હવે ઘરમાં સોલાર સિસ્ટમ લગાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ, જ્યારે સોલાર પેનલ લગાવવાની વાત આવે છે, ત્યારે લોકો સૌથી વધુ એ બાબતે મૂંઝવણમાં મુકાય છે કે તેમના ઘર માટે 3kW ની સિસ્ટમ સારી રહેશે કે 5kW ની? જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરના વીજ વપરાશ, જગ્યા અને બજેટ પ્રમાણે કઈ સોલાર સિસ્ટમ તમારા માટે બેસ્ટ રહેશે, જેથી તમારા પૈસા પણ બચે અને ભવિષ્યમાં વીજળીની કોઈ કમી ન રહે.

તમારો વીજળીનો વપરાશ કેટલો છે?

સોલાર પેનલની સાઈઝ પસંદ કરતી વખતે સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે તમારા ઘરમાં દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાય છે. આ જાણવા માટે તમે તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો. સામાન્ય રીતે, એક 2BHK ઘરમાં રોજના 6 થી 10 યુનિટ વીજળી વપરાતી હોય છે. જ્યારે મોટા ઘરમાં ઉપકરણો વધારે હોવાથી આ વપરાશ 15 થી 25 યુનિટ સુધી જઈ શકે છે. જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો, 3kW ની સોલાર સિસ્ટમ રોજના 15 થી 18 યુનિટ વીજળી પેદા કરે છે, જ્યારે 5kW ની સિસ્ટમ રોજના 25 થી 30 યુનિટ વીજળી આપે છે. તમારા રોજના વપરાશને આ આંકડા સાથે સરખાવીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?

આજકાલ બજારમાં 550W ની સોલાર પેનલ વધુ ચાલે છે. જો તમે 5kW ની સિસ્ટમ લગાવો છો, તો તમારે 9 થી 10 પેનલની જરૂર પડશે. પેનલ હંમેશા છત પર દક્ષિણ દિશા તરફ થોડી ઢળતી રાખવામાં આવે છે, જેથી તેના પર વધુમાં વધુ સૂર્યપ્રકાશ પડે. સામાન્ય રીતે 1kW ની સિસ્ટમ લગાવવા માટે લગભગ 100 ચોરસ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડે છે. તે હિસાબે તમે 3kW અને 5kW માટે જરૂરી જગ્યાની ગણતરી જાતે જ કરી શકો છો. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેનલ હંમેશા એવી જગ્યાએ જ લગાવો જ્યાં આજુબાજુ કોઈ બિલ્ડીંગ કે ઝાડનો છાંયો ન આવતો હોય.

આ પણ વાંચોઃ 1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે

વીજળી બિલમાં કેટલા રૂપિયાની બચત થશે?

સોલાર પેનલ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. જેટલો વધુ તડકો, તેટલી વધુ વીજળી!

જો તમારા ઘરમાં 1 એસી, ફ્રિજ, ટીવી અને પંખા જેવી વસ્તુઓ ચાલે છે, તો 3kW ની સિસ્ટમ તમારા માટે એકદમ પૂરતી છે. આનાથી તમે દર મહિને 3,000 થી 5,000 રૂપિયાનું બિલ બચાવી શકો છો.

પરંતુ, જો તમારા ઘરમાં 2 એસી અને અન્ય વધારે હેવી ઉપકરણો છે, તો તમારે 5kW ની સિસ્ટમ લગાવવી જોઈએ. 5kW ની સિસ્ટમથી તમે દર મહિને 5,000 થી 10,000 રૂપિયા સુધીની માતબર બચત કરી શકો છો.

આમ, તમે જે પૈસા સોલાર સિસ્ટમ લગાવવામાં ખર્ચ્યા છે, તે વીજળી બિલની બચત રૂપે માત્ર થોડા જ વર્ષોમાં પાછા વસૂલ થઈ જાય છે અને પછી આખી જિંદગી મફત વીજળીનો આનંદ માણી શકાય છે.

આ પણ વાંચોઃ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ કોને મળશે અને કોને નહીં? અરજી કરતા પહેલા ફટાફટ ચેક કરો નિયમો

Frequently Asked Questions

મારા ઘર માટે 3kW કે 5kW ની સોલાર સિસ્ટમ કઈ યોગ્ય છે?

તમારા ઘરના વીજ વપરાશ, ઉપલબ્ધ જગ્યા અને બજેટ પ્રમાણે યોગ્ય સિસ્ટમ પસંદ કરવી જોઈએ. વીજ વપરાશ જાણીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

સોલાર સિસ્ટમ લગાવવા માટે કેટલી જગ્યાની જરૂર પડે છે?

સામાન્ય રીતે 1kW ની સિસ્ટમ માટે લગભગ 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે. 3kW અને 5kW સિસ્ટમ માટે આ હિસાબે ગણતરી કરી શકાય છે.

સોલાર સિસ્ટમ લગાવવાથી વીજળી બિલમાં કેટલી બચત થશે?

3kW સિસ્ટમથી દર મહિને 3,000 થી 5,000 રૂપિયા અને 5kW સિસ્ટમથી 5,000 થી 10,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

3kW ની સોલાર સિસ્ટમ કેટલા યુનિટ વીજળી પેદા કરે છે?

3kW ની સોલાર સિસ્ટમ રોજના 15 થી 18 યુનિટ વીજળી પેદા કરે છે, જે સામાન્ય ઘર વપરાશ માટે પૂરતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget