શોધખોળ કરો

Universal Pension Scheme: તમામને મળશે પેન્શન! મોદી સરકાર લાવવા જઈ રહી છે એક નવી સ્કીમ 

વિકસિત દેશોની તર્જ પર ભારતમાં પણ હવે નવી પેન્શન સ્કીમ લાવવામાં આવશે. આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે.

Universal Pension Scheme: વિકસિત દેશોની તર્જ પર ભારતમાં પણ હવે નવી પેન્શન સ્કીમ લાવવામાં આવશે. આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે. આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ (UPS) હશે. સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે શ્રમ મંત્રાલયે આ યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે.

તમામ નાગરિકોને લાભ મળશે

કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં યોગદાન આપી શકે છે. સરકાર આ યોજનાને EPFO ​​હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. સરકાર હાલમાં આ યોજનાના સ્વરૂપ પર કામ કરી રહી છે. આ કાર્ય પૂર્ણ થતાંની સાથે જ શ્રમ મંત્રાલય યોજનાને પબ્લિક વચ્ચે લાવીને અને લોકો, નિષ્ણાતો, વિવિધ મંત્રાલયો અને તમામ હિતધારકો સાથે વાત કરીને તેને વધુ સારી અને ઉપયોગી બનાવશે.

સૂત્રોનું માનીએ તો સરકાર આ યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે ઘણી નવી અને જૂની યોજનાઓને સામેલ કરી શકે છે. સરકાર ઈચ્છે છે કે અસંગઠિત ક્ષેત્રના વધુમાં વધુ લોકોને જેમ કે મજૂરો, સ્વરોજગાર લોકો અને વેપારીઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ.

કઈ યોજનાઓનો સમાવેશ કરી શકાય

આમાં કઈ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર આ યોજનામાં કેટલીક મોટી અને આકર્ષક યોજનાઓને સામેલ કરી શકે છે. જેમ કે-

પ્રધાનમંત્રી માન ધન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજના – આ બંને યોજનાઓ સ્વૈચ્છિક છે. જેમાં 60 વર્ષ બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ સ્કીમમાં તમે દર મહિને 55 થી 200 રૂપિયા જમા કરાવી શકો છો. તમારી સાથે સરકાર પણ તમે જેટલું યોગદાન આપ્યું છે તેટલી રકમ આપશે.

આ મોટી યોજનામાં અટલ પેન્શન યોજનાને પણ સામેલ કરી શકાય છે. હાલમાં આ યોજના PFRDA હેઠળ આવે છે. આ બે યોજનાઓ સિવાય સરકાર બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ હેઠળ એકત્ર કરાયેલા સેસને પણ સામેલ કરી શકે છે. આ સાથે બાંધકામ ક્ષેત્રના કામદારોને પણ પેન્શન આપી શકાશે.

આ સિવાય કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને તેમની પેન્શન યોજનાઓને તેમાં સામેલ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી શકે છે. તેનાથી પેન્શનની રકમ પણ વધશે અને લોકોને વધુ લાભ મળી શકશે.

દેશમાં વૃદ્ધ લોકોની અંદાજિત સંખ્યા

સંયુક્ત રાષ્ટ્રના "ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023" અનુસાર, ભારતમાં વૃદ્ધ લોકોની સંખ્યા 2036 સુધીમાં દેશની કુલ વસ્તીના લગભગ 15 ટકા થવાની ધારણા છે, જ્યારે 2050 સુધીમાં આ આંકડો 20 ટકા સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, સરકાર માટે અમેરિકા, યુરોપ, ચીન, કેનેડા, રશિયા જેવા દેશોની જેમ ભારતમાં પેન્શન યોજના લાગુ કરવી મહત્વપૂર્ણ છે, જેમાં પેન્શન અને આરોગ્ય જેવી સુવિધાઓ સામેલ હોવી જોઈએ. ભારતમાં સામાજિક સુરક્ષા મોટાભાગે ભંડોળ અને પેન્શન પર આધારિત છે. આવી સ્થિતિમાં, આ નવી પેન્શન યોજના સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget