શોધખોળ કરો

હવે ટ્રેનમાં પ્લેન જેવા નિયમો! 8 કલાકનું 'ગણિત' સમજ્યા વિના વંદે ભારતમાં ટિકિટ બુક ન કરતા

Vande Bharat Sleeper Cancellation Rules: હવે વિમાન જેવા કડક નિયમો ટ્રેનમાં, 8 કલાક પહેલા ટિકિટ રદ નહીં કરો તો એક પણ રૂપિયો પાછો નહીં મળે; રેલવેએ 'અડધી સીટ' એટલે કે RAC સિસ્ટમ નાબૂદ કરી.

Vande Bharat Sleeper Cancellation Rules: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દેશની પ્રથમ 'વંદે ભારત સ્લીપર' (Vande Bharat Sleeper) ટ્રેનને લીલી ઝંડી આપીને એક નવા યુગની શરૂઆત કરી છે. સુવિધાઓ અને ગતિની દ્રષ્ટિએ વિમાનને ટક્કર આપતી આ ટ્રેનમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરતા મુસાફરોએ હવે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. રેલવે બોર્ડ દ્વારા આ પ્રીમિયમ ટ્રેન માટે ટિકિટ કેન્સલેશન (Cancellation Policy) અને રિફંડના જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તે તમારા ખિસ્સા પર સીધો બોજ વધારી શકે છે. જો તમે ટિકિટ બુક કર્યા પછી છેલ્લી ઘડીએ પ્લાન બદલો છો, તો તમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રિફંડ મેળવવું હવે સરળ નથી રહ્યું. સૌથી ચોંકાવનારો નિયમ એ છે કે જો તમે ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયના 8 કલાક પહેલા તમારી કન્ફર્મ ટિકિટ રદ નથી કરાવતા, તો તમને રિફંડ પેટે એક પણ રૂપિયો પાછો મળશે નહીં. એટલે કે તમારા પૂરેપૂરા પૈસા ડૂબી જશે. આ ઉપરાંત, જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાકથી લઈને 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવો છો, તો પણ રેલવે દ્વારા ભાડાના 50% રકમ કાપી લેવામાં આવશે, જે મુસાફરો માટે મોટો ફટકો છે. જો તમે 72 કલાક કરતા વધુ સમય પહેલા ટિકિટ રદ કરો છો, તો જ 25% કપાત સાથે બાકીનું રિફંડ મળશે.

બીજો મોટો ફેરફાર 'વઇટિંગ લિસ્ટ' અને સીટ ફાળવણીમાં કરવામાં આવ્યો છે. સામાન્ય ટ્રેનોમાં મુસાફરોને RAC (Reservation Against Cancellation) હેઠળ અડધી સીટની ખાતરી મળતી હતી, પરંતુ વંદે ભારત સ્લીપર માટે રેલવેએ આ RAC સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. મતલબ કે હવે કાં તો ટિકિટ કન્ફર્મ હશે અથવા વેઇટિંગમાં, વચ્ચેનો કોઈ વિકલ્પ રહેશે નહીં. આ ઉપરાંત, આ ટ્રેનમાં તમામ પ્રકારના ક્વોટા પણ લાગુ નહીં પડે. માત્ર મહિલાઓ, દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો માટેના ક્વોટા જ માન્ય રહેશે, જ્યારે અન્ય કોઈ VIP કે જનરલ ક્વોટાનો લાભ મળશે નહીં.

રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરલાઇન્સ (Airlines) જેવો અનુભવ આપવાનો છે, તેથી નિયમો પણ તેવા જ કડક બનાવવામાં આવ્યા છે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય અઢી કલાક ઘટાડશે અને આરામદાયક રાત્રિ મુસાફરી પૂરી પાડશે. જોકે, ભાડાના ધોરણો પણ ઉંચા રાખવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, આ ટ્રેનમાં લઘુત્તમ ભાડું 400 કિલોમીટરનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, જો તમે 400 કિલોમીટરથી ઓછું અંતર કાપો છો, તો પણ તમારે ચાર્જ તો 400 કિલોમીટરનો જ ચૂકવવો પડશે. આમ, વંદે ભારત સ્લીપરની મુસાફરી લક્ઝરી તો છે જ, પણ સાથે સાથે પ્લાનિંગમાં ચોકસાઈ પણ માંગી લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Advertisement

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget