શોધખોળ કરો

શું કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધવાની છે, પેન્શન ફંડ પર દબાણ ઘટાડવા EPFOએ કરી આ ભલામણ

પેન્શન ઓથોરિટી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિવૃત્તિની ઉંમર જેટલી વધારે હશે તેના પર કર્મચારી દ્વારા પેન્શન ફંડમાં વધુ રકમ જમા થશે અને તેને વધુ સારો લાભ આપી શકાશે.

નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ દેશના ખાનગી અને સરકારી ક્ષેત્રના કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનું સૂચન કર્યું છે. પેન્શન રેગ્યુલેટરનું કહેવું છે કે દેશમાં વરિષ્ઠ નાગરિકોની વધતી સંખ્યાને જોતા આગામી સમયમાં પેન્શન ફંડ પર દબાણ વધશે.

ધ ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, EPFOએ કહ્યું છે કે નિવૃત્તિની ઉંમર વધારવાથી કર્મચારીઓને નિવૃત્તિના વધુ સારા લાભો આપવા સાથે પેન્શન સિસ્ટમ પરનો બોજ ઘટશે. સંસ્થાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2047 સુધીમાં ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 14 કરોડને વટાવી જશે. આનાથી પેન્શન ફંડ પરના દબાણમાં નોંધપાત્ર વધારો થશે. EPFOએ કહ્યું કે નિવૃત્તિની ઉંમર વધારવાની વાત અન્ય દેશોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ કહેવામાં આવી રહી છે.

પેન્શન ઓથોરિટી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિવૃત્તિની ઉંમર જેટલી વધારે હશે તેના પર કર્મચારી દ્વારા પેન્શન ફંડમાં વધુ રકમ જમા થશે અને તેને વધુ સારો લાભ આપી શકાશે. આ ફુગાવાને હરાવીને એક મોટું નિવૃત્તિ ભંડોળ ઊભું કરવામાં પણ મદદ કરશે. EPFO પાસે હાલમાં લગભગ 6 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે અને કુલ રૂ. 12 લાખ કરોડનું સંચાલન કરે છે.

આનાથી નુકસાન શું થશે

શ્રમ અર્થશાસ્ત્રી કેઆર શ્યામ સુંદર કહે છે કે નિવૃત્તિની ઉંમર વધારવાથી વૃદ્ધ કામદારોના પરિવારોને વધુ દિવસો માટે નિયમિત આવક મળશે. આનાથી તેમનું જીવનધોરણ સુધરશે અને નિવૃત્તિ પછી પણ તેમની મોટી રકમ મેળવવાની શક્યતાઓ વધશે. જો કે, તેની બીજી બાજુ પણ નુકસાનકારક છે. નિવૃત્તિની ઉંમર વધાર્યા બાદ યુવાનોએ નોકરી માટે લાંબો સમય રાહ જોવી પડશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે તાજેતરમાં બહાર પાડેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે 2031 સુધીમાં ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 194 મિલિયન સુધી પહોંચી જશે, જે 2021માં માત્ર 138 મિલિયન હતી. આ રીતે એક દાયકામાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં 41 ટકાનો વધારો થશે. 2011ની વસ્તી અનુસાર 2021 સુધીમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં 3.4 કરોડનો વધારો થયો છે.

હાલમાં નિવૃત્તિની મર્યાદા કેટલી છે

ભારતમાં હાલમાં મહત્તમ નિવૃત્તિ વય 58 વર્ષથી 65 વર્ષ સુધીની છે. આ વિવિધતા ખાનગી ક્ષેત્રની કંપનીઓથી લઈને સરકારી ક્ષેત્ર સુધીની છે. જો આપણે યુરોપિયન યુનિયન વિશે વાત કરીએ, તો ત્યાં નિવૃત્તિની સરેરાશ ઉંમર 65 વર્ષ છે. ડેનમાર્ક, ઇટાલી અને ગ્રીસમાં યુરોપમાં નિવૃત્તિની ઉંમર 67 વર્ષ છે, જ્યારે યુએસમાં તે 66 વર્ષ છે. EPFOએ આ વર્ષે જૂનમાં 18.36 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 43 ટકા વધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
Embed widget