સ્વદેશી અને હર્બલ! લોકોની પ્રથમ પસંદ કેમ બની રહી છે પતંજલિની દંત કાંતિ ટૂથપેસ્ટ ?
પતંજલિએ જણાવ્યું છે કે ભારતમાં ઝડપથી વિકસતા ગ્રાહક સામગ્રી (FMCG) ક્ષેત્રમાં પતંજલિની દંત કાંતિ ટૂથપેસ્ટ એક પ્રમુખ નામ બની ગયું છે.

Patanjali Toothpaste News: પતંજલિએ જણાવ્યું છે કે ભારતમાં ઝડપથી વિકસતા ગ્રાહક સામગ્રી (FMCG) ક્ષેત્રમાં પતંજલિની દંત કાંતિ ટૂથપેસ્ટ એક પ્રમુખ નામ બની ગયું છે. આ અભ્યાસ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં દંત કાંતિ અને અન્ય કંપનીઓના ટૂથપેસ્ટ વચ્ચેના ગ્રાહક વ્યવહારની તુલના કરે છે. ભારતનું FMCG ક્ષેત્ર દેશના અર્થતંત્રનું ચોથું સૌથી મોટું ક્ષેત્ર છે, જેનું બજાર મૂલ્ય 2020 માં 110 બિલિયન અમેરિકી ડોલર હતું અને તે 14.9% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધી રહ્યું છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય ગ્રાહકોની પસંદગીઓ અને સંતોષના સ્તરને સમજવાનો છે.
કેમ બજારમાં લોકપ્રિય છે દંત કાંતિ ?
આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, "પતંજલિની દંત કાંતિ તેના આયુર્વેદિક અને કુદરતી ઘટકો જેમ કે લીમડો, લવિંગ, ફુદીના અને પીપળી માટે જાણીતી છે. યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા સમર્થતિ આ ઉત્પાદન ગ્રાહકોને તેના સ્વદેશી અને હર્બલ મૂલ્યો તરફ આકર્ષે છે. વર્ષ 2021 માં દંત કાંતિનો ચોખ્ખો નફો રૂપિયા 485 કરોડ હતો. તેના મુખ્ય સ્પર્ધકો કોલગેટ, પેપ્સોડેન્ટ, સેન્સોડાઇન અને ક્લોઝઅપ છે, જેમાં કોલગેટ 50 ટકાથી વદારે બજાર હિસ્સા સાથે આગળ છે. પતંજલિનો બજારહિસ્સો 11 ટકા છે, જે આયુર્વેદિક સામગ્રીને કારણે સતત વધી રહ્યો છે.
પતંજલિએ દાવો કર્યો છે, " અભ્યાસમાં 300 ગ્રાહકો પાસેથી પ્રશ્નાવલી દ્વારા પ્રાથમિક ડેટા એકત્રિત કરવામાં આવ્યો, જ્યારે માદ્યમિક ડેટા પત્રિકાઓ અને સંશોધન પત્રોમાંથી મેળવવામાં આવ્યો હતો." પરિણામો દર્શાવે છે કે ગ્રાહકો દંત કાંતિને તેની હર્બલ પ્રકૃતિ અને બાબા રામદેવના પ્રભાવને કારણે પસંદ કરે છે." જોકે કોલગેટ જેવી બ્રાન્ડ્સ પ્રત્યે પણ ગ્રાહકની વફાદારી બનેલી છે. અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે અન્ય કંપનીઓએ આયુર્વેદિક સામગ્રી અને પ્રભાવશાળી બ્રાન્ડ એન્ડોર્સર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દંત કાંતિએ પ્રમોશન અને ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તેની પહોંચ વધારવી જોઈએ.
સ્વદેશી અને હર્બલ ઉત્પાદનોની માંગમાં વધારો થયો
કંપનીએ જણાવ્યું હતું કે દંત કાંતી તેની ગુણવત્તા અને આયુર્વેદિક વિશેષતાઓને કારણે ગ્રાહકોમાં લોકપ્રિય છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્વદેશી અને હર્બલ ઉત્પાદનોની માંગ વધી રહી છે, જેનાથી પતંજલિને ભારતીય બજારમાં અગ્રણી બનવાની તક મળી રહી છે.




















