શોધખોળ કરો
Turkey Earthquake: ભૂકંપમાં ગુમ થયેલા ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ, કાટમાળમાંથી મળ્યો મૃતદેહ
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ 7 દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે

તુર્કીમાં ભયંકર ભૂકંપ
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ 7 દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. દરમિયાન, તુર્કી અને સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ, અંકારાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. દૂતાવાસે ટ્વિટ કર્યું કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃતદેહ મળી આવ્યા છે. માલત્યાની એક હોટલના કાટમાળ વચ્ચે તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















