Kolhapur News: કોલ્હાપુરથી ચોંકાવનારી ઘટના આવી સામે, મહિલાને 2 મહિનાથી સાંકળથી બાંધી ગુજાર્યો ત્રાસ
Kolhapur News: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક મામલો સામ આવ્યો છે. જે ખૂબ જ હૃદયદ્રદ્વાવક છે, અહીં 40 વર્ષીય દિવ્યાંગ મહિલાને 2 મહિનાથી જંજીરમાં બાંધી રાખવામાં આવી હતી.

Kolhapur News:મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. સાયબર ચોક વિસ્તારમાં રહેતી 40 વર્ષીય વિકલાંગ મહિલાને સાંકળોમાં બાંધીને રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાને છેલ્લા એક-બે મહિનાથી તેના જ ઘરમાં સાંકળોમાં બાંધીને રાખવામાં આવી હતી.
પોલીસે તાળા બનાવનારને બોલાવ્યો
કોલ્હાપુર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને રાજારામપુરી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ મામલો પ્રકાશમાં આવ્યો. આ મહિલાનું નામ સારિકા છે. પોલીસે તાળા બનાવનારને બોલાવીને મહિલાને સાંકળોમાંથી મુક્ત કરાવી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
મહિલાની તબિયત સારી ન હોવાથી, તેને કોલ્હાપુરની સીપીઆર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે તેના પરિવારના સભ્યો સામે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
શિવસેના યુબીટીએ પરિવારના એક યુવાનને માર મારવાનો પ્રયાસ કર્યો
બીજી તરફ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા અને ઉપનેતા સંજય પવાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મહિલાને બાંધનાર પરિવારના એક યુવાનને માર મારવાનો પ્રયાસ કર્યો. આ કારણે, ત્યાં થોડા સમય માટે વાતાવરણ તંગ બની.
મહિલાના ભાઈ અને ભત્રીજાઓ સામે કેસ દાખલ કરવામાં આવશે
મહિલાનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. મહિલાના ભાઈ અને ભત્રીજા સામે કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે મહિલાની હાલત જોઈને બધા ચોંકી ગયા.મહિલા પોલીસ કર્મચારીઓએ પીડિતાની સંભાળ લીધી અને તેને સાંકળોના ચુંગાલમાંથી મુક્ત કરાવી. પોલીસે કેટલીક ચાવીઓ વડે તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તાળું ખુલ્યું નહીં. બાદમાં તાળું ખોલનારા ટેકનિશિયનને બોલાવવામાં આવ્યા. ટેકનિશિયને પોલીસની સામે તાળાની ચાવી બનાવી અને તેને ખોલી નાખ્યો.




















