શોધખોળ કરો

Kedardahm yatra: ખરાબ હવામાનના કરાણે 8 મે સુધી કેદારધામ યાત્રા સ્થગિત, આગામી 4 દિવસ બરફવર્ષાની આગાહી

Kedardahm yatra: ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

Kedardahm yatra:ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

કેદારનાથમાં હવામાન સતત બગડી રહ્યું છે. જ્યાં એક તરફ સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ ગ્લેશિયર્સ દરરોજ તૂટી રહ્યા છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો અવરોધાયો હતો. હા, ગઈકાલે ભૈરવ અને કુબેર ગડેરે ખાતે ગ્લેશિયર તૂટવાને કારણે યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો હતો.

જે બાદ DDMA, SDRF, DDRF, NDRF, YMF અને પોલીસ કર્મચારીઓએ સખત મહેનત બાદ રસ્તો તૈયાર કર્યો છે. જ્યાં સીડી બનાવીને યાત્રિકોની અવરજવર શરૂ કરવામાં આવી હતી.

આટલું જ નહીં કેદાર ઘાટીમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પર 8 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા 3 મેના રોજ ખરાબ હવામાનના કારણે યાત્રા રોકવી પડી હતી. દરમિયાન યાત્રાના રૂટ પર ગ્લેશિયર્સ સતત તૂટી રહ્યા છે, જેના કારણે રૂટને સરળ બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માત્ર 4,100 તીર્થયાત્રીઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા!

Sharad Pawar: શરદ પવારે NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું પરત ખેંચ્યું,  જાણો શું આપ્યું મોટું નિવેદન ?

Sharad Pawar PC:NCP નેતા શરદ પવાર શુક્રવારે પત્રકાર પરિષદ કરી હતી.  તેમણે પ્રમુખ પદેથી રાજીનામું પાછું લઈ લીધું હતું. આ અગાઉ  એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.

તેમણે કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં.

શરદ પવારે વધુમાં કહ્યું કે હું આ બધાને કારણે ભાવુક થઈ ગયો છું, દરેકની અપીલ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લીધા પછી  મેં એનસીપી અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિનો નિર્ણય પાછો લીધો છે. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું.

હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું

એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લઈને હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચું છું. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ પણ સામેલ છે.

એનસીપી સુપ્રીમો શરદ પવારના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ છેલ્લા ઘણા દિવસોથી શરદ પવારને રાજીનામું પરત ખેંચવા માટે મનાવી રહ્યા હતા. એનસીપીના કાર્યકર્તાઓ સતત માંગ કરી રહ્યા હતા કે એનસીપીના  રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર  શરદ પવાર રહે. શરદ પવારને મનાવવા અને રાજીનામું પરત લેવા માટે અનેક દિવસોથી વરિષ્ઠ નેતાઓ તેમને મનાવી રહ્યા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી
રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
Embed widget