શોધખોળ કરો

Kedardahm yatra: ખરાબ હવામાનના કરાણે 8 મે સુધી કેદારધામ યાત્રા સ્થગિત, આગામી 4 દિવસ બરફવર્ષાની આગાહી

Kedardahm yatra: ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

Kedardahm yatra:ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

કેદારનાથમાં હવામાન સતત બગડી રહ્યું છે. જ્યાં એક તરફ સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ ગ્લેશિયર્સ દરરોજ તૂટી રહ્યા છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો અવરોધાયો હતો. હા, ગઈકાલે ભૈરવ અને કુબેર ગડેરે ખાતે ગ્લેશિયર તૂટવાને કારણે યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો હતો.

જે બાદ DDMA, SDRF, DDRF, NDRF, YMF અને પોલીસ કર્મચારીઓએ સખત મહેનત બાદ રસ્તો તૈયાર કર્યો છે. જ્યાં સીડી બનાવીને યાત્રિકોની અવરજવર શરૂ કરવામાં આવી હતી.

આટલું જ નહીં કેદાર ઘાટીમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પર 8 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા 3 મેના રોજ ખરાબ હવામાનના કારણે યાત્રા રોકવી પડી હતી. દરમિયાન યાત્રાના રૂટ પર ગ્લેશિયર્સ સતત તૂટી રહ્યા છે, જેના કારણે રૂટને સરળ બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માત્ર 4,100 તીર્થયાત્રીઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા!

Sharad Pawar: શરદ પવારે NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું પરત ખેંચ્યું,  જાણો શું આપ્યું મોટું નિવેદન ?

Sharad Pawar PC:NCP નેતા શરદ પવાર શુક્રવારે પત્રકાર પરિષદ કરી હતી.  તેમણે પ્રમુખ પદેથી રાજીનામું પાછું લઈ લીધું હતું. આ અગાઉ  એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિએ શરદ પવારના પક્ષ પ્રમુખ પદ છોડવાના નિર્ણયને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.

તેમણે કહ્યું કે રાજીનામા બાદ ઘણા NCP કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દુઃખી થયા. મારા શુભચિંતકો અને કાર્યકરો અને પ્રિયજનોએ મને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. આ સાથે કાર્યકરોએ મને ફરીથી પ્રમુખ પદ પરત લેવા જણાવ્યું હતું. મારા તરફથી લોકોની ભાવનાઓનો અનાદર થઈ શકે નહીં.

શરદ પવારે વધુમાં કહ્યું કે હું આ બધાને કારણે ભાવુક થઈ ગયો છું, દરેકની અપીલ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લીધા પછી  મેં એનસીપી અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિનો નિર્ણય પાછો લીધો છે. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું.

હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું

એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને દરેકની લાગણીઓને ધ્યાનમાં લઈને હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચું છું. હું ફરીથી પ્રમુખ પદ સ્વીકારી રહ્યો છું. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ મને વિનંતી કરી હતી, જેમાં ઘણા રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ પણ સામેલ છે.

એનસીપી સુપ્રીમો શરદ પવારના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. એનસીપીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ છેલ્લા ઘણા દિવસોથી શરદ પવારને રાજીનામું પરત ખેંચવા માટે મનાવી રહ્યા હતા. એનસીપીના કાર્યકર્તાઓ સતત માંગ કરી રહ્યા હતા કે એનસીપીના  રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર  શરદ પવાર રહે. શરદ પવારને મનાવવા અને રાજીનામું પરત લેવા માટે અનેક દિવસોથી વરિષ્ઠ નેતાઓ તેમને મનાવી રહ્યા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
વંતારાનો પ્રથમ સ્થાપના દિવસ: વન્યજીવો માટે આશીર્વાદરૂપ બની અનંત અંબાણીની સંસ્થા
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
Embed widget