શોધખોળ કરો

Eye drops:ભારતના આઇ ડ્રોપથી શ્રીલંકામાં 35 લોકોની આંખમાં ઇન્ફેકશન, જાણો શું છે મામલો

ભારતમાં વેચતા આ આઇ ડ્રોપ પર શ્રીલંકાએ પ્રતિંબધ લગાવી દીધો છે. ભારતના આ આઇડ્રોપથી શ્રીલંકામાં 35 લોકોના આંખમાં ઇન્ફેકશન થતા આ પગલા લેવામાં આવ્યાં છે

Eye drops:સ્વાસ્થ્ય મંત્રાલયના એક   વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શ્રીલંકા તરફથી પત્ર મળ્યા બાદ તરત જ દવાનું પરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. કંપનીની વર્તમાન બેચને સીલ કરવામાં આવી છે. સેમ્પલ સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યાંથી 10થી 15 દિવસમાં રિપોર્ટ આવે તેવી શક્યતા છે.

 શ્રીલંકામાં, ભારતીય આંખના ટીપાંને કારણે 35 દર્દીઓમાં આંખમાં ચેપનો કેસ નોંધાયો છે. આ પછી, ભારત નિર્મિત દવાની તપાસ શરૂ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતની ફાર્મા કંપનીની દવાની તપાસ કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે Methyl Prednisolone Eye Drops નો ઉપયોગ કર્યા પછી દર્દીઓમાં બેક્ટેરિયલ ચેપ વધ્યો છે. આ વર્ષે માર્ચમાં, કંપનીએ શ્રીલંકામાં આઈડ્રોપ્સના બે મોટા બેચની નિકાસ કરી હતી, પરંતુ એપ્રિલમાં, ત્યાંની ત્રણ મોટી હોસ્પિટલોમાં લગભગ 30 લોકોએ દવા લીધા પછી આંખમાં ચેપની ફરિયાદ કરી હતી.

 શ્રીલંકાની સરકારે ન માત્ર દવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો, પરંતુ તેની સામે તપાસ પણ શરૂ કરી. દરમિયાન, કંપનીએ તેની દવાઓ પણ પાછી ખેંચી લીધી હતી. શ્રીલંકાની સરકારે 16 મેના રોજ પત્ર લખીને ભારતને નિષ્પક્ષ તપાસની અપીલ કરી હતી. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ચેતવણી આપી હતી કે, ફાર્મા ઉદ્યોગ દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે. જો ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવશે તો તે  દેશ માટે સારું નથી અને તે  ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં.

15 દિવસમાં રિપોર્ટ આવશે

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શ્રીલંકા તરફથી પત્ર મળ્યા બાદ તરત જ દવાનું પરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. કંપનીની વર્તમાન બેચને સીલ કરવામાં આવી છે. સેમ્પલ સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યાંથી 10થી 15 દિવસમાં રિપોર્ટ આવે તેવી શક્યતા છે.

 નવ મહિનામાં ચોથો કેસ પ્રકાશમાં આવ્યો

નવ મહિનામાં આ ચોથો કેસ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય દવાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. અગાઉ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુ માટે ભારતીય કંપનીઓની કફ સિરપને જવાબદાર ઠેરવવામાં આવી હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ફાર્મા સેક્ટરની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા હતા. માર્શલ આઇલેન્ડ્સ અને માઇક્રોનેશિયામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેના પછી WHOએ એપ્રિલ મહિનામાં એલર્ટ જાહેર કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget