શોધખોળ કરો

ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ

અક્ષરધામના પરિસરમાં ઊમેરાયું છે નવું દર્શનીય સોપાનઃ 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીની પંચધાતુની મૂર્તિ

Diwali celebration Akshardham: દીપાવલી એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૨ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે.

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪થી શુક્રવાર, તા. ૮-૧૧-૨૦૨૪ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.

સોમવાર, તા. ૪ ૧૧ ૨૦૨૪ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

આ સાથે આપને જણાવતાં આનંદ થાય છે કે, મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામના આ પરિસરમાં એક નવું દર્શનીય સોપાન ઉમેરાઈ રહ્યું છે. એ છે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના. ભગવાન શ્રી સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને માનસરોવરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધીની પદયાત્રા તીર્થયાત્રા કરી હતી. 12,000 કિલોમીટર અને 7 વર્ષની તેઓની આ વિરલ પદયાત્રા દરમ્યાન તેઓ નીલકંઠવર્ણી તરીકે સૌના આદરણીય બન્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી નીલકંઠવર્ણી તરીકે માનસરોવરમાં તેમજ નેપાળના હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઊભા રહીને લોકકલ્યાણ માટે તપસ્યા કરી હતી. એમની એ તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નિત્ય સવારે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને નામજપ કરે છે.

એટલે જ, ભગવાન સ્વામિનારાયણની એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણીની તપોમૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. તારીખ. 11 નવેમ્બર 2024ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા વૈદિક યજ્ઞવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલું પંચધાતુની આ ભવ્ય મૂર્તિનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. અક્ષરધામ પરિસરમાં જ્યાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ બિરાજમાન થઈ છે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દીપાવલી પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ માણી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન
ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે IITEનું નવું ભવન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ભૂમિપૂજન
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
EPFO ખાતાધારકો માટે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યા નવા નિયમો, PF ક્લેમ માટે કડક ડેડલાઈન નક્કી  
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Embed widget