શોધખોળ કરો

ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ

અક્ષરધામના પરિસરમાં ઊમેરાયું છે નવું દર્શનીય સોપાનઃ 49 ફૂટ ઊંચી નીલકંઠવર્ણીની પંચધાતુની મૂર્તિ

Diwali celebration Akshardham: દીપાવલી એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ પ્રાપ્ત કરવાનો અલૌકિક ઉત્સવ. સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત ૩૨ વર્ષથી પરંપરાગત શૈલીથી ૧૦,૦૦૦ દીવડાઓ પ્રગટાવી મનાવે છે.

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪થી શુક્રવાર, તા. ૮-૧૧-૨૦૨૪ સુધી દરરોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે.

સોમવાર, તા. ૪ ૧૧ ૨૦૨૪ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

આ સાથે આપને જણાવતાં આનંદ થાય છે કે, મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામના આ પરિસરમાં એક નવું દર્શનીય સોપાન ઉમેરાઈ રહ્યું છે. એ છે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના. ભગવાન શ્રી સ્વામિનારાયણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને માનસરોવરથી લઈને કન્યાકુમારી સુધી અને આસામથી લઈને ગુજરાત સુધીની પદયાત્રા તીર્થયાત્રા કરી હતી. 12,000 કિલોમીટર અને 7 વર્ષની તેઓની આ વિરલ પદયાત્રા દરમ્યાન તેઓ નીલકંઠવર્ણી તરીકે સૌના આદરણીય બન્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી નીલકંઠવર્ણી તરીકે માનસરોવરમાં તેમજ નેપાળના હિમાલયમાં મુક્તિનાથ તીર્થમાં એક પગે ઊભા રહીને લોકકલ્યાણ માટે તપસ્યા કરી હતી. એમની એ તપોમુદ્રાની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય લાખો ભક્તો 200 વર્ષોથી આજે પણ નિત્ય સવારે પ્રાતઃપૂજામાં એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને નામજપ કરે છે.

એટલે જ, ભગવાન સ્વામિનારાયણની એ તપોમૂર્તિને અંજલિ અર્પવા માટે અને આવનારી અનેક પેઢીઓને તપ, જપ તથા સંયમની પ્રેરણા આપવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણીની તપોમૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. તારીખ. 11 નવેમ્બર 2024ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કરકમલો દ્વારા વૈદિક યજ્ઞવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.

છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલું પંચધાતુની આ ભવ્ય મૂર્તિનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા. તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. અક્ષરધામ પરિસરમાં જ્યાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિ બિરાજમાન થઈ છે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દીપાવલી પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ માણી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામેAmreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?Devayat Khavad Case : દેવાયત ખવડ વિવાદમાં પોલીસે શું કર્યો મોટો ખુલાસો? ક્યાંથી મળી કાર?Swaminarayan Gurukul viral video:  સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Embed widget