શોધખોળ કરો

કોંગ્રેસ છોડી રહેલા અશ્વીન કોટવાલે અંતે જણાવ્યું કેમ છોડી રહ્યા છે પક્ષ, જાણો શું કર્યો મોટો ખુલાસો?

ગાંધીનગર: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા અશ્વિન કોટવાલ થોડીવારામાં ભાજપમાં સામેલ થશે. ક્યાં કારણે તેઓ કોંગ્રેસથી નારાજ હતા એ વાત પોતે જ જણાવી છે. ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી.

ગાંધીનગર: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા અશ્વિન કોટવાલ થોડીવારામાં ભાજપમાં સામેલ થશે. ક્યાં કારણે તેઓ કોંગ્રેસથી નારાજ હતા એ વાત પોતે જ જણાવી છે. અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરતા આ નિર્ણય શા માટે લેવો પડ્યો અને ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા અશ્વન કોટવાલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું. આદિવાસીનો વિકાસ થાય તેનું હિત સચવાય માટે મેં રાજીનામું આપ્યું છે. આજે હું ગાંધીનગર કમલમમાં 12.39 કલાકે ભાજપમાં વિધિવત જોડાઇ જઇશ.હું પંદર વર્ષથી ધારાસભ્ય હતો. વિધાનસભામાં પણ હું આદિવાસી સમાજના વિકાસ માટે અને પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું. હું જે પણ મુખ્યમંત્રી હોય તને આદિવાસી સમાજના હિત માટે મળતો અને તેને હાથ જોડીને કામ કરવા માટે વિંનતી કરતો હતો.આદિવાસી સમાજના વિકાસ માટે જે સંસ્થા કામ કરે છે, તેને પણ હું સહયોગ આપતો અન તેની સાથે મળીને પંદર વર્ષ કામ કર્યું છે, નરેન્દ્ર મોદીના કામમાંથી મને પ્રેરણા મળી છે." મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

 

કોટવાલે જણાવ્યું કે,કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે. સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. જો કે હું સતાનો લાલચું નથી પરંતુ આદિવાસીની સેવાની ઇચ્છા અધૂરી ન રહે માટે આ નિર્ણય લીધો છે.

 

વિધાનસભા વિરોધપક્ષના નેતા ન બની શક્યા માટે કોંગ્રેસ છોડ્યુ?

અશ્વિન કોટવાલે જણાવ્યું કે,હું સતા લાલચું નથી હું વિરોધ પક્ષના નેતા પણ બની શકત,. હું દંડક તો હતો. કોઇ પણ વિષયના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો જે સરકાર હોય તે જ આ નિર્ણય લઇ શકતી હોય છે, મેં પણ કહ્યું કે, જે નીતિ વિષયક નિર્ણયો આદિવાસી સમાજ માટે લેવાના છે. તે સતાધારી પક્ષ સુધી સારી રીતે પહોંચી શકું માટે જ આ નિર્ણય લીધો છે.

અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા ઘરેથી નીકળ્યા

સાબરકાંઠા: કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા નીકળ્યા છે. પોતાના નિવાસસ્થાનેથી કોટવાલ ઢોલ નગારા સાથે ગાંધીનગર તરફ જવા નીકળ્યા છે. આદિવાસી પારંપરિક ઢોલ અને નૃત્ય સાથે નીકળ્યા સાથે કોંગ્રેસ નેતા કોટવાલ થોડીવારામાં ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે અને ભાજપનો કેસરીયો ધારણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
Embed widget