શોધખોળ કરો

કોંગ્રેસ છોડી રહેલા અશ્વીન કોટવાલે અંતે જણાવ્યું કેમ છોડી રહ્યા છે પક્ષ, જાણો શું કર્યો મોટો ખુલાસો?

ગાંધીનગર: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા અશ્વિન કોટવાલ થોડીવારામાં ભાજપમાં સામેલ થશે. ક્યાં કારણે તેઓ કોંગ્રેસથી નારાજ હતા એ વાત પોતે જ જણાવી છે. ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી.

ગાંધીનગર: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા અશ્વિન કોટવાલ થોડીવારામાં ભાજપમાં સામેલ થશે. ક્યાં કારણે તેઓ કોંગ્રેસથી નારાજ હતા એ વાત પોતે જ જણાવી છે. અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરતા આ નિર્ણય શા માટે લેવો પડ્યો અને ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા અશ્વન કોટવાલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું. આદિવાસીનો વિકાસ થાય તેનું હિત સચવાય માટે મેં રાજીનામું આપ્યું છે. આજે હું ગાંધીનગર કમલમમાં 12.39 કલાકે ભાજપમાં વિધિવત જોડાઇ જઇશ.હું પંદર વર્ષથી ધારાસભ્ય હતો. વિધાનસભામાં પણ હું આદિવાસી સમાજના વિકાસ માટે અને પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું. હું જે પણ મુખ્યમંત્રી હોય તને આદિવાસી સમાજના હિત માટે મળતો અને તેને હાથ જોડીને કામ કરવા માટે વિંનતી કરતો હતો.આદિવાસી સમાજના વિકાસ માટે જે સંસ્થા કામ કરે છે, તેને પણ હું સહયોગ આપતો અન તેની સાથે મળીને પંદર વર્ષ કામ કર્યું છે, નરેન્દ્ર મોદીના કામમાંથી મને પ્રેરણા મળી છે." મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

 

કોટવાલે જણાવ્યું કે,કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે. સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. જો કે હું સતાનો લાલચું નથી પરંતુ આદિવાસીની સેવાની ઇચ્છા અધૂરી ન રહે માટે આ નિર્ણય લીધો છે.

 

વિધાનસભા વિરોધપક્ષના નેતા ન બની શક્યા માટે કોંગ્રેસ છોડ્યુ?

અશ્વિન કોટવાલે જણાવ્યું કે,હું સતા લાલચું નથી હું વિરોધ પક્ષના નેતા પણ બની શકત,. હું દંડક તો હતો. કોઇ પણ વિષયના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો જે સરકાર હોય તે જ આ નિર્ણય લઇ શકતી હોય છે, મેં પણ કહ્યું કે, જે નીતિ વિષયક નિર્ણયો આદિવાસી સમાજ માટે લેવાના છે. તે સતાધારી પક્ષ સુધી સારી રીતે પહોંચી શકું માટે જ આ નિર્ણય લીધો છે.

અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા ઘરેથી નીકળ્યા

સાબરકાંઠા: કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલ વાજતેગાજતે ભાજપમાં જોડાવા નીકળ્યા છે. પોતાના નિવાસસ્થાનેથી કોટવાલ ઢોલ નગારા સાથે ગાંધીનગર તરફ જવા નીકળ્યા છે. આદિવાસી પારંપરિક ઢોલ અને નૃત્ય સાથે નીકળ્યા સાથે કોંગ્રેસ નેતા કોટવાલ થોડીવારામાં ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે અને ભાજપનો કેસરીયો ધારણ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget