શોધખોળ કરો

ગાંધીનગરમાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે

સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે

ગાંધીનગરઃ સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં બાબા દરબાર યોજશે.

આજે ઝૂંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂ વંદના મંચ તરફથી આયોજિત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ- સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 હજારથી વધુ સાધુ- સંતો અને લાકોની સંખ્યામાં ભક્તો ઉમટશે. બાબાના દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાનારા બાબાના દરબારમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.

અમદાવાદમા યોજાશે બાબાનો દરબાર

અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે.

હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી

સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે. તે પહેલા સુરતમા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.

 

આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. કાર્યક્રમને લઇને પાસની પણ વહેંચણી કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસ આ કાર્યક્રમને મંજૂરી આપવા તૈયાર નહોતી. આખરે આયોજકોને પોલીસ સામે ઝૂકવું પડ્યું હતું અને બાબાનો દરબાર ચાણક્યપુરીમાં નહી પરંતુ ઓગણજમાં યોજાય તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો
'નશામુક્ત ગુજરાત' માટે સરકારનું મોટું પગલુ, તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે નશામુક્તિ કેન્દ્રો
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે 'એર-ફિલ્ડ રબર ડેમ', 161 કરોડથી વધુનો થશે ખર્ચ
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂત આંદોલનને લઈ આપ્યું મોટું નિવેદન
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget