શોધખોળ કરો

Gandhinagar: OBC સમાજને 27 ટકા અનામત આપતું બિલ રજૂ, ઋષિકેશ પટેલે કોંગ્રેસે પર કર્યા પ્રહાર

ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC સમુદાયને અનામત આપતું વિધેયક રજૂ  કરવામા આવ્યું છે.

ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC સમુદાયને અનામત આપતું વિધેયક રજૂ  કરવામા આવ્યું છે. મહાપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.  ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ 5ની પેટા કલમ 6માં સુધારો કરતું વિધેયક રજૂ કરવામાં આવ્યું. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ કરાઈ.

ઋષિકેશ પટેલે સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું

તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 27 ટકા OBC અનામત માટે પંચાયત અધિનિયમ 1993માં કરતું વિધેયક રજૂ થશે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું છે.

1972માં બક્ષીપંચના અનામત આપવા બક્ષી કમિશનની રચાના થઈ હતી

OBC સમાજને 27 ટકા અનામત આપતું બિલ રજૂ કરતાં સંસદિયમાંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. બાબા સાહેબ આંબેડકરે ઓબીસી અનામતના મુદ્દે નહેરુની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જવાહરલાલ નેહરુએ ઓબીસી અનામત ના આપતા રાજીનામું આપ્યું હતું. વી પી સિંહની સરકારે ઓબીસી અનામત આપતા વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. NSUIએ દેશ ભરમાં OBC અનામતના વિરોધમાં આંદોલન કર્યું હતું.  1972માં બક્ષીપંચના અનામત આપવા બક્ષી કમિશનની રચાના થઈ હતી. બક્ષી કમિશને ઓબીસી સમુદાયને અનામત આપવા કરેલી ભલામણ માધવસિંહ સોલંકીની સરકારે સ્વીકારી ન હતી.

કેન્દ્રની કોંગ્રેસ સરકારે માધવસિંહ સોલંકીનું રાજીનામું લઈ લીધું હતું

બાદમાં ભાજપની સરકાર આવતા બક્ષી કમિશનની ભલામણ ના આધારે અનામત આપી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ obc સમાજને અનામત આપવાનું કામ ભાજપની સરકારે કર્યું. માધવસિંહ સોલંકીએ 10 ટકામાંથી 18 ટકા આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રની કોંગ્રેસ સરકારે માધવસિંહ સોલંકીનું રાજીનામું લઈ લીધું હતું. ઓબીસી સમુદાયના હક માટે ભાજપે હીરોની ભૂમિકા ભજવી છે, કોંગ્રેસ હંમેશાથી નકારાત્મક રહી છે.

સ્થાનિક સત્તામંડળમાં 27 ટકા OBC અનામતથી શું ફરક પડશે

રાજ્યની 8 મહાનગર પાલિકામાં 10 ટકા મુજબ 67 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 183 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 

રાજ્યની 157 નગરપાલિકામાં 10 ટકા મુજબ 481 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 1282 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 

રાજ્યની 33 જિલ્લા પંચાયતમાં 10 ટકા મુજબ 105 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 205 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 

રાજ્યની 256 પંચાયતમાં 10 ટકા મુજબ 506 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 994 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 

રાજ્યની 14565 ગ્રામ પંચાયતમાં 10 ટકા મુજબ 12750 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 23363 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget