શોધખોળ કરો

રાજ્યસભા ચૂંટણીઃ વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજીની જીત, ભાજપના ક્યા મંત્રીનો મત ગેરલાયક ઠર્યો?

ભાજપના બંને ઉમેદવાર વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. જુગલજીને 105 તો એસ જયશંકરને 104 મત મળ્યા હતા.

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.  જેમાં ભાજપના બંને ઉમેદવાર વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. જુગલજીને 105 તો એસ જયશંકરને 104 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસ.જયશંકરને આપેલો ભાજપના મંત્રી આર.સી. ફળદુનો મત ગેરલાયક ઠર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને 70-70 મત મળતા બંન્નેનો પરાજય થયો હતો. જીત બાદ સીએમ રૂપાણી અને જીતુ વાઘાણી સહિતના નેતાઓએ જીતેલા ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસ કાયદાકીય લડાઈ લડશે.  કૉંગ્રેસ ચૂંટણી સામે કૉર્ટના દ્ધાર ખખડાવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બાદ હાઇકોર્ટમાં જવાનું કહ્યુ હતું. જીત બાદ વિદેશમંત્રીએ એસ.જયશંકરે કહ્યું કે ગુજરાતથી જીતીને જવુ મારા માટે ગૌરવની વાત છે.  વિશ્વ ભરમાં ગુજરાતીઓ વસે છે. સૌ પ્રથમ હું પીએમ,રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતની સરકારનો આભાર માનું છું. વિદેશમંત્રી સાથે ગુજરાતીઓનો સંબંધ ખૂબ છે. દેશની વિદેશમાં છબિ બદલવામાં ગુજરાતનો સક્રિય ફાળો છે. આજે તમે મને સાંસદ બનાવ્યો છે.વિદેશમાં જે પણ થઈ શકશે મારા તરફથી હું પ્રયાસ કરીશ. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોના વિજય બાદ ભાજપે અભિવાદન સમારોહ યોજ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપના બંને ઉમેદવારો જંગી બહુમતીથી જીતી ગયા છે. કોગ્રેસ કરતા ભાજપને વધુ મત મળ્યા છે. કોગ્રેસ આંતરિક કેટલી ખોખલી છે તે દેખાઇ આવ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારમાં બંને સાથીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. નોંધનીય છે કે આ અગાઉ કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ વાંધા અરજી કરી હતી. જેને પગલે મતગણતરીમાં ત્રણ કલાક જેટલો વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે તેમની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી શરૂ થઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget