ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
SIR ની કામગીરીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત છ રાજ્યોમાં SIR ની સમયમર્યાદા લંબાવી છે.

નવી દિલ્હી: SIR ની કામગીરીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત છ રાજ્યોમાં SIR ની સમયમર્યાદા લંબાવી છે. ECI મુજબ, તમિલનાડુ અને ગુજરાતમાં 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
EC issues revised SIR schedule for Tamil Nadu, Gujarat, MP, Chhattisgarh, UP and Andaman and Nicobar Islands following requests from CEOs. pic.twitter.com/JOAmdd5dvq
— Press Trust of India (@PTI_News) December 11, 2025
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં, SIR પ્રક્રિયા 18 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં SIR ફોર્મ હવે 26 ડિસેમ્બર સુધી ભરવામાં આવશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 31 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં SIR ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 19 ડિસેમ્બર
તમિલનાડુ અને ગુજરાતમાં SIR ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2025 (રવિવાર) હતી. ચૂંટણી પંચે આ અંતિમ તારીખ 19 ડિસેમ્બર, 2025 સુધી લંબાવી છે. આનો અર્થ એ થયો કે આ રાજ્યોના હિસ્સેદારો પાસે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને સબમિટ કરવા માટે વધારાના પાંચ દિવસ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે અંતિમ તારીખ 18 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) થી 23 ડિસેમ્બર, 2025 (મંગળવાર) સુધી લંબાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં, SIR ની અંતિમ તારીખ 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2025 (બુધવાર) સુધી લંબાવવામાં આવી છે.
ચૂંટણી પંચે આ તમામ રાજ્યોના નાગરિકોને વિસ્તૃત સમયમર્યાદાનો લાભ લેવા અને તેમનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા અને સ્વચ્છ મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચને 02 અઠવાડિયાનો સમય વધારવાની વિનંતી કરવામાં આવી હતી, જેથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ મૃત, સ્થળાંતરિત અને ગેરહાજર મતદારોની ફરીથી ચકાસણી કરી શકે.
27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી
ગુજરાતમાં 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે. જો કે કેટલાક જિલ્લામાં હજુ સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40.44 લાખ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે. રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂરી થઈ છે.




















