શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
‘ભારત આઝાદ થયું ત્યારે ખબર ન હતી પણ કાશ્મીર આઝાદ થયું એની અનુભૂતિ કરી’, BJPમાં સામેલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકારનું નિવેદન, જાણો વિગતે
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે વધુ કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠક BJPમાં સામેલ થયા.
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે વધુ કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, પ્રભુભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ઠક્કરે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. ગુજરાત ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તેમજ તમામ કલાકારોને પક્ષમાં આવકાર્યા હતા. ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતા રબારી પણ ભાજપ સાથે જોડાયા છે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણે કહ્યું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.
આ પહેલા ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.
જાણીતા ભજનીક હેમંત ચૌહાણ સહિતના દિગ્ગજ કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે
અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion