શોધખોળ કરો

Gandhinagar: કલોલમાં કોલેરાનો હાહાકાર, 2 કિમીનો વિસ્તાર જાહેર કરાયો કોલેરાગ્રસ્ત

Cholera Outbreak: જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે.

Cholera Outbreak in Kalol, Gandhinagar:  ગાંધીનગરના કલોલના અમુક વિસ્તાર ફરી એક વખત કોલેરાની ઝપેટમાં આવ્યા છે. કલોલના જુમ્મા મસ્જીદ, મટવાકુવા બાંગ્લાદેશી છાપાં, અજમન વાડી વિસ્તાર, ગુલિસ્તા પાર્ક સહિત કલોલ નગરપાલિકાનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે, અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.

 આ રોગ વિબ્રીઓ કોલેરી નામના બેકટેરિયાથી ફેલાય છે. સામાન્ય રીતે આ બીમારી શરૂઆત  સાધારણ ઝાડા, ઉલ્ટીથી થાય છે. પરંતુ જો યોગ્ય સમયે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. કોલેરા પેટના ઇન્ફેક્શનથી થાય છે, તેથી પેટમાં દુઃખાવો અને પેટ ખરાબ થવું તે તેનું પ્રથમ લક્ષણ છે. સંક્રમણના 12 કલાકથી લઇને 5 દિવસની અંદર આ લક્ષણોમાં વધારો થાય છે. જો કે, કેટલાંક કેસમાં આ બીમારીના પ્રારંભિક લક્ષણો સુદ્ધાં જોવા મળતા નથી. 12 કલાકની અંદર પેટ ખરાબ થયા બાદ ગંભીર ડાયરિયા થઇ શકે છે, જેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે, પાણીની ઉણપ સર્જાઇ શકે છે.



Gandhinagar: કલોલમાં કોલેરાનો હાહાકાર, 2 કિમીનો વિસ્તાર જાહેર કરાયો કોલેરાગ્રસ્ત

કોલેરાના લક્ષણો

  • વારંવાર ઉલ્ટીના ઉબકા આવવા
  • પાણી જેવી ઉલ્ટી થવી
  • ખોરાક પેટમાં ન ટકવો
  •  જમ્યા બાદ ઉલ્ટી થવી
  •  ઉલ્ટી સાથે ઝાડા પણ થવા.
  •  દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જાય છે

કોલેરાથી બચવાના ઘરેલું ઉપાય

નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.

  • આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.
  • પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.
  • નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે.
  • ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Embed widget