શોધખોળ કરો

આજે મોદીનું માર્ગદર્શન મેળવીને રૂપાણી સરકાર રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુ લાદવાની જાહેરાત કરશે ? નીતિન પટેલે શું કહ્યું ?

રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લેશે એવી રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી છે. આ કારણે ગુજરાતમાં ફરી લોકડાઉન કે કરફ્યુ લદાશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થઈ ગયા છે. યોગાનુયોગ નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ આવવાના હોવાથી એવી વાતો પણ વહેતી થઈ હતી કે, મોદીનું માર્ગદર્શન મેળવીને રાજ્યમાં લોકડાઉન લાદવાનો કે કરફ્યુ લાદવાનો નિર્ણય લેશે અને શનિવારે સાંજે જેની જાહેરાત કરાશે. જો કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મોડી સાંજે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી કે કરફ્યુ પણ લાદવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા નહીં થાય. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારે રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે. આ ખાતરી પછી હોઈકોર્ટે પણ સવાલ કર્યો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો શું કાર્યાવાહી કરશો ? સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે કડકાઈથી કામગીરી કરવાની જરૂર છે ટકોર પણ કરી હતી.
ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget