શોધખોળ કરો
Advertisement
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કોરોના પોઝિટિવ, CM રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે કરી વાત
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના કેરટેકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સમાચારની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથ ટેલિફોનિક વાતચીત કરી હતી
રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકરો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને કોરોના સંક્રમિત થી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને ખબર અંતર પૂછ્યા હતાં.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના કેરટેકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સમાચારની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથ ટેલિફોનિક વાતચીત કરી હતી અને સારવારને લઈને કોઈ કચાસ ન રહે તેને લઈ ખાતરી આપી હતી.
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં કોરોના વિકરાળ બન્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion