વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મીડિયા સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદર્શની અને રંગોળીનું પણ આયોજન કરાયું હતું.
CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ શાસન પૂર્તિએ વિકાસ પ્રદર્શની યોજાઈ.
- મુખ્યમંત્રીએ મોદીના વૈશ્વિક નેતૃત્વ, વિકાસની રાજનીતિને બિરદાવી.
- જન કલ્યાણકારી યોજનાઓ, માળખાકીય સુવિધાઓનો વ્યાપક વિકાસ થયો.
- નાયબ મુખ્યમંત્રીએ મોદીના શાસનને દેશ માટે વરદાન ગણાવ્યું.
મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્ર સાથે સાંસ્કૃતિક પુનરુત્થાનના બન્યા છે... મોદીજીના સુશાસનના સફળ ટ્રેક રેકોર્ડને દેશવાસીઓનું પ્રચંડ સમર્થન આવનારા વર્ષોમાં પણ મળતું રહેશે. @NarendraModi pic.twitter.com/p6gtzpEBbl
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2026
ગત 12 વર્ષમાં માનનીય મોદીજીના નેતૃત્વમાં જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ થકી દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. @NarendraModi pic.twitter.com/hookyCzobu
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2026
Frequently Asked Questions
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કયા પ્રસંગે મીડિયા સંવાદ યોજાયો હતો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી ભારતને વૈશ્વિક સ્તરે શું ઓળખ મળી છે?
તેમની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે ભારતે વિશ્વમાં નવું અને ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. 32 દેશોએ તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે અને તેમણે લાંબા સેવાકાળનો નહેરુનો રેકોર્ડ પણ તોડ્યો છે.
વડાપ્રધાન મોદીના શાસનમાં કઈ મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, 56 કરોડ જનધન ખાતા, ઉજ્જવલા યોજના અને નારી શક્તિ વંદના અધિનિયમ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરાયો હતો.
વડાપ્રધાનના શાસનમાં આર્થિક અને માળખાકીય સુવિધાઓમાં કયા વિકાસ કાર્યો થયા છે?
ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બન્યું છે અને દર મહિને 66 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. દેશમાં 1.46 લાખ કિમીથી વધુ પાકા રસ્તાઓ બન્યા છે અને 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે.






















