શોધખોળ કરો

CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી, કહ્યું- 'દેશમાં 4 કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા'

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ શાસન પૂર્તિએ વિકાસ પ્રદર્શની યોજાઈ.
  • મુખ્યમંત્રીએ મોદીના વૈશ્વિક નેતૃત્વ, વિકાસની રાજનીતિને બિરદાવી.
  • જન કલ્યાણકારી યોજનાઓ, માળખાકીય સુવિધાઓનો વ્યાપક વિકાસ થયો.
  • નાયબ મુખ્યમંત્રીએ મોદીના શાસનને દેશ માટે વરદાન ગણાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો મીડિયા સંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વિષયો પર રંગોળી દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં હાલ વિકાસની રાજનીતિનો એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે આજે સમગ્ર વિશ્વમાં ભારતને એક નવું અને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. પ્રજા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો છે. નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા  બન્યા છે. 

 
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દેશ માટે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો રહ્યા છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે અને તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી છે. તેમણે જણાવ્યું કે દુનિયાના 32 દેશોએ નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે. લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાના મામલે પણ નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. 

 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ તરીકે ઉભરી આવી છે અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને કારણે દેશમાં દર મહિને 66 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવી કામગીરીઓ દ્વારા સમગ્ર વિશ્વે નવા ભારતની શક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય મેળવ્યો છે. જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડથી વધુ ગરીબ લોકોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને આવાસ મળ્યા છે અને 56 કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 32 કરોડથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન તેમજ નારી શક્તિ વંદના અધિનિયમ દ્વારા રાજકીય ક્ષેત્રમાં 33 ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
 
આદિજાતિ વિકાસ, શિક્ષણ અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે બાબાસાહેબ આંબેડકરના બંધારણીય યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. બાબાસાહેબ સાથે સંકળાયેલા પાંચ મુખ્ય સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આદિજાતિ સમાજના શિક્ષણ અને વિકાસમાં પણ મોટા પાયે પરિવર્તન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું.
 
 
ખેડૂતોના કલ્યાણ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન અન્નદાતાઓના ઉત્થાન માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને દેશભરમાં 18 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે વર્ષ 2014 પછી દેશની રાજનીતિની દિશા અને વિકાસનો અભિગમ બંને બદલાયા છે. પરિવહન અને શહેરી વિકાસ ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દેશમાં 1.46 લાખ કિલોમીટરથી વધુ પાકા રસ્તાઓ બન્યા છે. સાથે જ દેશના 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે, જેના કારણે શહેરી પરિવહનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
 
તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યકાળને બિરદાવતા નિવેદન આપ્યું કે, દેશના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત થયો છે, જે માત્ર વડાપ્રધાનનો જ નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ગર્વ છે. તેમના શાસનના આ 12 વર્ષ દેશના દરેક નાગરિક માટે વરદાન સાબિત થયા છે. 

Frequently Asked Questions

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કયા પ્રસંગે મીડિયા સંવાદ યોજાયો હતો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મીડિયા સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે પ્રદર્શની અને રંગોળીનું પણ આયોજન કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી ભારતને વૈશ્વિક સ્તરે શું ઓળખ મળી છે?

તેમની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે ભારતે વિશ્વમાં નવું અને ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. 32 દેશોએ તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે અને તેમણે લાંબા સેવાકાળનો નહેરુનો રેકોર્ડ પણ તોડ્યો છે.

વડાપ્રધાન મોદીના શાસનમાં કઈ મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, 56 કરોડ જનધન ખાતા, ઉજ્જવલા યોજના અને નારી શક્તિ વંદના અધિનિયમ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરાયો હતો.

વડાપ્રધાનના શાસનમાં આર્થિક અને માળખાકીય સુવિધાઓમાં કયા વિકાસ કાર્યો થયા છે?

ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બન્યું છે અને દર મહિને 66 કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. દેશમાં 1.46 લાખ કિમીથી વધુ પાકા રસ્તાઓ બન્યા છે અને 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget