શોધખોળ કરો
રામમંદિરના શિલાન્યાસ કાર્યક્રમ માટે વિજય રૂપાણીને નિમંત્રણ નહીં અપાય, જાણો શું છે કારણ ?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય આ કાર્યક્રમ માટે દેશના બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં મળે.
![રામમંદિરના શિલાન્યાસ કાર્યક્રમ માટે વિજય રૂપાણીને નિમંત્રણ નહીં અપાય, જાણો શું છે કારણ ? Gujarat CM Rupani not invited for Shree Ram temple foundation in Ayodhya રામમંદિરના શિલાન્યાસ કાર્યક્રમ માટે વિજય રૂપાણીને નિમંત્રણ નહીં અપાય, જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/26193014/rupani-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ 5 ઓગસ્ટે યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રામમંદિરનો શિલાન્યાસ કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિમંત્રણ નહીં મળે.
રામમંદિરનું નિર્માણ કરનારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય આ કાર્યક્રમ માટે દેશના બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં મળે. કોઈ એક મુખ્યમંત્રીને બોલાવાય તો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મોકલવા પડે તેથી યોગી સિવાય કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો. આ કારણે માત્ર વિજય રૂપાણી જ નહીં પણ દેશની બીજા કોઈ રાજ્યના મુખ્યમંત્રીને નિમંત્રણ નથી અપાયું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાનો રામમંદિર ચળવળમાં મોટો ફાળો હતો, તેથી ઉધ્ધવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સમક્ષ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે યોગી સિવાય બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપતાં ઉધ્ધવ પણ હાજર નહીં રહી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)