શોધખોળ કરો

Gujarat Election 2022: કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા હતા.  મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.  મોહનસિંહ  રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે ભાજપ 100 ટકા ટિકિટ આપશે. મારે ચૂંટણી લડવી નથી. દીકરાને ચૂંટણી લડાવવી છે. ભાજપનું પાર્લામેન્ટરી  બોર્ડ નક્કી કરે તે પહેલા જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોગ્રેસે દીકરાને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો.

ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે. સમય સમય બળવાના હૈ... ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, "ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું." આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, "વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી."

મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ

વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળવાના પ્રશ્ન પર મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, "મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી." આમ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલાં જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે.  નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ  રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.

ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.

ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતથી હરાવ્યા હતા.  ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.


વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
Advertisement

વિડિઓઝ

Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : આણંદમાં જય સરદાર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ વહ્યું દૂધ?
Hun To Bolish : હું તો બોલીશ : દાનવ રૂપી ડમ્પર
Gambhira Bridge Collapse:  ગંભીરા બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર: માત્ર 12 માસમાં જ નવો બ્રિજ તૈયાર થશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં
મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં
'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ
'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ
હવે સરકાર 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
હવે સરકાર 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત
US Visa: અમેરિકામાં આ કામ કરશો તો રદ્દ થઈ શકે છે વીઝા, ભારતમાં અમેરિકન દૂતાવાસે જાહેર કરી ચેતવણી
US Visa: અમેરિકામાં આ કામ કરશો તો રદ્દ થઈ શકે છે વીઝા, ભારતમાં અમેરિકન દૂતાવાસે જાહેર કરી ચેતવણી
Embed widget