![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 122 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.31 ટકા
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે 122 કેસ નોંધાયા હતા
![Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 122 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.31 ટકા In the last 24 hours, 122 new cases of corona were reported in Gujarat Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 122 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.31 ટકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/26/3aebf24c75117435945023f561c15cd0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે 122 કેસ નોંધાયા હતા. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 122 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે કોરોનાથી ત્રણ લોકોના મોત થયા હતા.
આજે રાજ્યભરમાં 352 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,09,201 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા જેટલો છે.
હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 3883 છે. જેમાંથી 23 લોકો વેન્ટિલેટર પર છે. 3860 લોકોની હાલત સ્થિર છે. 809201 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10048 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.31 ટકા થયો છે.
કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 11, સુરત 10, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડ 4, બનાસકાંઠા 2, ગીર સોમનાથ 4, અમરેલી 5, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 4, વડોદરા 10, આણંદ 1, ગાંધીનગર 1, જામનગર 1, જુનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, ખેડા 1, રાજકોટ 3, અરવલ્લી 1, ભરુચ 2, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 2, પોરબંદરમાં 3, ભાવનગરમાં 3, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં એક, કેસ નોંધાયા હતા.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 288 લોકોને પ્રથમ ડોઝ અને 20569 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 50992 લોકોને પ્રથમ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકોમાં 219584 લોકોને પ્રથમ ડોઝ અને 18840 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
મહત્વનું છે કે ગુજરાતમાં માત્ર છ દિવસમાં વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કોરોના રસીકરણનો ફિયાસ્કો થયો હતો. કોરોનાની રસીની અછતના કારણે અનેક કોરોના વેક્સિનેશન સેન્ટર બંધ કરવા પડ્યા હતા. અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના સેન્ટર બહાર લોકોની લાઇનો જોવા મળી હતી. વેક્સિન ઉપલબ્ધ ન હોવાના સેન્ટર પર બેનર લાગ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)