શોધખોળ કરો
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જુથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં બબાલ
Source : abp asmita
Ahmedabad News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે કોઇ ફેબ્રિકેશનના ધંધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઇ હતી. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ફેબ્રિકેશનના બિઝનેસમાં બંને પક્ષના વેપારીઓ વચ્ચે બબાલ થઇ હતી મામલો ઉગ્ર બનતા મારામારી પર બંને જુથના લોકો ઉતરી આવ્યાં હતા. બે પક્ષો વચ્ચે સામસામે થયો પથ્થરમારો સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી મુજબ મૃતક પરપ્રાંતીય નવાજુદ્દીન નામના યુવક હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
