શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક
ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીની દિલ્હીમાં નિમણૂક કરવામાં આવી છે.
![ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક IPS manoj shashidhar appointment as joint director of cbi ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/17210441/manoj-shashidhar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીની દિલ્હીમાં નિમણૂક કરવામાં આવી છે. 1994 કેડરના IPS અધિકારી મનોજ શશીધરને CBIના જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં ગુપ્તચર વિભાગના વડા એડિશનલ DG મનોજ શશીધર હવે 5 વર્ષ માટે દિલ્હીમાં CBIમાં ફરજ બજાવશે.
મનોજ શશીધર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના SP અને જોઈન્ટ પોલીસ કમિશ્નર ક્રાઈમ તરીકે કામ કરી ચૂક્યાં છે. રાજકોટ રેન્જ DIG, વડોદરા પોલીસ કમિશનર અને ગોધરા રેન્જના એડિશનલ DG તરીકે પણ તેઓ સેવાઓ આપી ચુક્યાં છે.
નરેન્દ્ર મોદી પ્રઘાનમંત્રી બન્યા બાદ ગુજરાત કેડરના અનેક IPS અધિકારીઓને દિલ્હી લઇ ગયા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ અગાઉ રાકેશ અસ્થાના, એ.કે.શર્મા, એ.કે.સિંગ સહિતના અધિકારીઓને દિલ્હીમાં નિમણૂક કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)