શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળશે કે નહીં ? જાણો વિજય રૂપાણી સરકારે લીધો શું મોટો નિર્ણય ?
Gujarati Garba: ગુજરાતના સૌથી મોટા મહોત્સવ ગણાતા નવરાત્રીની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે નવરાત્રિના આયોજનને મંજૂરી મળશે કે નહીં તેની અટકળ ચાલી રહી છે.
![ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળશે કે નહીં ? જાણો વિજય રૂપાણી સરકારે લીધો શું મોટો નિર્ણય ? Navratri 2020: Will Garba be allowed in Navratri in Gujarat or not? ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળશે કે નહીં ? જાણો વિજય રૂપાણી સરકારે લીધો શું મોટો નિર્ણય ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/27145502/Garba.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતના સૌથી મોટા મહોત્સવ ગણાતા નવરાત્રીની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે નવરાત્રિના આયોજનને મંજૂરી મળશે કે નહીં તેની અટકળ ચાલી રહી છે. આ માહોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. નવરાત્રી 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉજવાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ કારણે ગુજરાતમાં પણ નવરાત્રિના આયોજનને મંજૂરી નહીં મળે એ સ્પષ્ટ થઈ ગયું છે.
વાયબ્રન્ટ નવરાત્રિ મોકૂફ રાખવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ છે પણ વિશ્વવ્યાપી કોરોના મહામારીના કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
કોરોનાના આ કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલાકારોની ગરબા યોજવા દેવાની માંગને લઈ રાજ્ય સરકારે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી પણ આડકતરી રીતે નવરાત્રિને મંજૂરી નહીં આપવાનો સંકેત આપી દેવાયો છે.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થાય છે, પરંતુ આ વર્ષે તેને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ ચાલુ વર્ષે ઉજવવામાં આવશે નહિ. થોડા દિવસો પહેલા અમદાવાદ મેડિકલ એસોસિએશને પત્ર લખીને ગરબાના આયોજનને મંજૂરી ન આપવાની અપીલ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)