PM MODI GUJARAT VISIT LIVE : PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે.

Background
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં પીએમ મોદી સહભાગી થયા છે. આયુષ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મોરીશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે.
આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ, આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. ગાંધીનગર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જવા રવાના થશે. પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેશે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ અને 550 કરોડ જેટલા કામોનુ ખાતમુહૂર્ત કરશે. સભા સ્થળે પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરક્ષાને લઈ પોલીસ સજ્જ છે. 10 જેટલા IAS ઓફીસર વ્યવસ્થામા રહેશે. પોલીસ-3 હજાર કરતા વધુ હોમગાર્ડ તેમજ જી.આર.ડી-700 , SP-12, DYSP-36, PI-100 , PSI-300 , RANG IG & IGP તથા spg ,ચેતક કમાન્ડો ,તેમજ NSG કમાન્ડો ની 1 -1 ટીમ હાજર રહેશે . સમગ્ર ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું.
PM નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, જિલ્લાને આપશે અનેક ભેટ.
દાહોદના ખરોડ ગામે આદિવાસી સંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં રેલવે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર 9 હજાર હોર્સ પાવરની ઈલેક્ટ્રિક લોકો મોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે. પીએમ દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને 21 હજાર 809 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. દાહોદમાં 1 હજાર 29 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 20 હજાર 50 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહૂર્ત કરશે. સંમેલનમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેશે તેવો દાવો કરાયો છે.
WHOના વડાને પીએમ મોદીએ આપ્યું ગુજરાતી નામ, તુલસીભાઈ
કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમની દીકરી બાબતે એક વાત કહેવા માંગુ છું. કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની બ્રેન ટ્યુમરની સર્જરી થઈ જેના કારણે આંખો થી દેખી શકતી ન હતી. ભારતમા આયુર્વેદિક ઉપચાર બાદ તેની આંખોની દ્રષ્ટી પાછી આવી. WHOના વડાને પીએમ મોદીએ આપ્યું ગુજરાતી નામસ તુલસીભાઈ. વિશ્વ આરોગ્ય સંસ્થા ના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારત ના શિક્ષકોનો હાથ છે મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું, મારૂ નામ ગુજરાતી રાખો.મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપ્યું છે.




















