શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પીએમ મોદી સૌરાષ્ટ્રને શું આપશે મોટી ભેટ, જાણો વિગત

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.

PM Modi Gujarat visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે, અને 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.

95 ગામોની 52,398 એકર જમીન અને 98 હજારથી વધુ લોકોને થશે લાભ

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.  SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-3ના પેકેજ 8 હેઠળ રૂ.265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી બંધ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.

આ જ રીતે, લિંક 3ના પેકેજ 9ની વાત કરીએ તો રૂ.129 કરોડના ખર્ચે આજી-1 બંધ અને ફોફલ-1 બંધ સુધી 36.50 કિમી લંબાઈની 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 38 ગામોના 23,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 10,018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.


PM Modi Gujarat Visit: પીએમ મોદી સૌરાષ્ટ્રને શું આપશે મોટી ભેટ, જાણો વિગત

સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના મહત્વ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “SAUNI યોજના એ વડાપ્રધાનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી  હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમ્સમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.”

શું છે SAUNI યોજના, અને શા માટે તે સૌરાષ્ટ્ર માટે છે બહુ ખાસ

SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના 1 મિલિયન એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 115 જળાશયોમાં ભરવાની યોજના છે.


PM Modi Gujarat Visit: પીએમ મોદી સૌરાષ્ટ્રને શું આપશે મોટી ભેટ, જાણો વિગત

આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર 970થી વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારને સિંચાઈ માટે અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂ.18,563 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા SAUNI પ્રોજેક્ટનું 95% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભજળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. વધુમાં, મોટાભાગના વર્ષોમાં વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SAUNI પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો
લેન્ડ જેહાદ અને હિજરત પર ફૂલસ્ટોપ! વિધાનસભામાં રજૂ થયું અશાંતધારા સુધારા વિધેયક, જાણો શું બદલાશે?
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'
વિધાનસભામાં અધિકારીઓ પર ગિન્નાયા શંકર ચૌધરી- 'માત્ર બેસી નથી રહેવાનું, મંત્રીઓને માહિતી પહોંચાડો'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Embed widget