શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: રાજ્યમાં આજે 1279 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 88.36 ટકા
ગુજરાતમાં આજે 1191 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3620 પર પહોંચ્યો છે.
![Coronavirus: રાજ્યમાં આજે 1279 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 88.36 ટકા 1279 patients recovered in the state today Coronavirus: રાજ્યમાં આજે 1279 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 88.36 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/17033854/Covid19-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાતમાં આજે 1191 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3620 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1279 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,39,149 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં હાલ 14,705 એક્ટિવ કેસ છે, જ્યારે 1,39,149 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,613 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,57,474 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1279 દર્દી સાજા થયા હતા અને 52657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,69,542 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.36 ટકા છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, પંચમહામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 11 લોકોના મોત થયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)