શોધખોળ કરો

Banaskantha: શાળાના મેદાનમાં હિંચકા પર ઝુલતી વખતે વીજ કરંટ લાગતા બે બાળકીના મોત, પરિવારમાં માતમ છવાયો

બનાસકાંઠા: દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

બનાસકાંઠા: દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. મોર ડુંગરા પ્રાથમિક શાળામાં 3 બાળકીને  વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હીંચકો ખાતા સમયે વીજ કરંટ લાગ્યો અને બન્ને બાળકીઓ મોતને ભેટી.  

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લોખંડના હીંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર જોડાયેલું હોઈ જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો હતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં હસતી રમતી બાળાઓ અચાનક મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારમાં માતમ છવાયો છે.

  સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતી હાહાકાર મચી ગયો છે.  સુરતમાં નામચીન બુટલેગરની હત્યા કરી દેવામાં આવી છે. બુટલેગર નાનુ પટેલની છરીના ઘા મારી સરાજાહેર હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  CCTVમાં  હત્યાનો  બનાવ કેદ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં બુટલેગર નાનુ પટેલ સવારે  આગમ મોલ પાસે નાસ્તાની લારી પાસે બેઠો હતો. એ સમયે 3 શખ્શોએ તેની હત્યા કરી નાંખી હતી.  પોલીસ તપાસમાં ખુલ્યું કે, પ્રદીપ શુક્લા અને તેના સાગરિતોએ નાનુ પટેલની હત્યા કરી છે. દારૂના ધંધાની અદાવતમાં નાનુ પટેલની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મૃતક નાનુ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે. શુક્રવારે વહેલી સવારે અલથાણના આગમ શોપિંગની સામે બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનીયાની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સરુત શહેરમાં બનેલી આ હત્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે.

છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી

વેસુ વિસ્તારના આભવા રોડ  પર આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ નજીક આવેલી એક નાસ્તાની દુકાન પર નાનીયો પટેલ નામનો બુટલેગર બેઠો હતો. ત્યારે બે શખ્સ મોઢે રૂમાલ બાંધીને ત્યાં આવ્યા હતા અને નાનીયો પટેલ પર છરીના ઉપરાછાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરી બંને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTV માં કેદ થઈ હતી.

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

આ ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બુટલેગર નાનુ ઉર્ફે નાનીયા પટેલની હત્યા ડીંડોલી વિસ્તારમાં રહેતા પ્રદીપ શુક્લા અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી છે. જો કે, હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. મૃતક નાનીયો પટેલ વિરુદ્ધ અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.  

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
Embed widget