શોધખોળ કરો

લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સહિત 4નાં મોત, જાણો વિગત

અકસ્માત બાદ દાહોદ-અમદાવાદ લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. ડાકોર-સેવાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.

નડિયાદ: રવિવારે ગલતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને ટ્રસ્ટી સહિત કુલ 4 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ સેવાલિયા અને ઠાસરા પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડાકોર-સેવાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સહિત 4નાં મોત, જાણો વિગત મૃતકો સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં પૂનમ ભરી અને શ્રીહરિના દર્શન કરી ગોધરા પરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ દાહોદ-અમદાવાદ લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં સેવાલિયા પોલીસે ચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે. લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સહિત 4નાં મોત, જાણો વિગત ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે વડતાલ મંદિરે દર્શન કરવા રવિવારે સવારે 6 વાગ્યે કાર લઈને નીકળ્યાં હતાં. વડતાલ દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી લક્ઝરી બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં મંદિરના કોઠારી સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે 1 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સહિત 4નાં મોત, જાણો વિગત સેવાલિયા અને ઠાસરા પોલીસ પણ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત હરિપ્રસાદ શંકરલાલ કા.પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અકસ્માતમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે, અકસ્માત સર્જાયો તે સમયે કારની સ્પીડ 100થી વધુની હતી. લક્ઝરી સાથે ટક્કર થતાંની સાથે જ એરબેગ ખૂલી ગઈ હતી પરંતુ કારમાં બેઠેલા 4 લોકો બચી શક્યા નહોતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget