શોધખોળ કરો

Gandhinagar: PM મોદી આ તારીખે ગુજરાતમાં 1 લાખથી વધુ આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી શનિવાર, તારિખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી શનિવાર, તારિખ ૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે.

ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ  પરબત પટેલ અને ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવાસ લોકાર્પણના આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૧૫ ગ્રામીણ મતવિસ્તાર અને ૬૭ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે. 

દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવા ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી હતી. છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે.  રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૩.૪૨ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૨૮ લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૫.૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ ૯.૬૧ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૨૮ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 

ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૫.૯૬ લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે. 

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ ૩૯૩ આવાસોને મોડેલ-૦૧ અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે ૫,૧૪,૧૭૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી ૬૨% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય DBTના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.  આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ ₹૨૦,૦૦૦ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૦૧ લાભાર્થીઓને ₹૧૨૬.૨૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ ૧૪ જેટલા એવોર્ડ મળ્યા છે
વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન ,વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
ચૈત્રમાં અષાઢી માહોલથી ખેડૂતો ચિંતિતઃ બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ સહિતના પાકોને નુકસાનની ભીતિ
ચૈત્રમાં અષાઢી માહોલથી ખેડૂતો ચિંતિતઃ બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ સહિતના પાકોને નુકસાનની ભીતિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget