શોધખોળ કરો

Gujarat AAP: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં થશે હાજર, કહ્યુ- 'મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો'

AAP: ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે.

AAP: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.

ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.

પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની  જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઇ રહ્યો હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો.


Gujarat AAP:  AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં થશે હાજર, કહ્યુ- 'મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો

નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા છે. ચૈતર વસાવા વિરુદ્ધના કેસને તેમની પત્નીએ પાયાવિહોણો ગણાવ્યો હતો. ચૈતર વસાવા પર હવામાં ફાયરિંગનો પણ કેસ નોંધાયો છે. ચૈતર વસાવાની પત્ની અને PA પર પણ ગુનો નોંધાયો હતો.

ચૈતર વસાવા હાજર થવાની શક્યતાને લઈને પોલીસ સતર્ક થઇ ગઇ છે. ડેડીયાપાડામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાને જોડતા રસ્તાઓ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ચૈતર વસાવાના જન સંપર્ક કાર્યાલયે પણ સમર્થકો ઉમટ્યા હતા. ચૈતરના કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયોWeather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દુર થયા બાદ રાજ્યમાં ફરીથી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
Drinking Water: ઉભા ઉભા કે બેસીને કેવી રીતે પીવું જોઈએ પાણી? જો તમને પણ મુંજવણ હોય તો આ રહ્યો સાચો જવાબ
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Embed widget