શોધખોળ કરો
Advertisement
‘આપ’ ગુજરાતમાં મનપા-જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી લડશે, જાણો ક્યા જિલ્લા-શહેરમાં કોને પ્રમુખ નિમ્યા? કેજરીવાલ ક્યારે ગુજરાત આવશે?
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપાઇ છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપાઇ છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે. ‘આપ’ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પણ નિમણૂક કરાઈ છે. આપ દ્વારા કોની કોની નિમણૂક કરાઈ તેની વિગતો નીચે પ્રમાણે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ગુજરાત પ્રદેશ સંગઠનની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, આપ આગામી મહિનાઓમાં આવનારી ગુજરાતની મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. નવા હોદ્દેદારો સાથે આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ગુજરાત
Advertisement