શોધખોળ કરો

Accident: સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત

Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે.  પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.

Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે.  પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોએ જીવ ગુમાવ્યો છે.

એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા. ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં ક્રેઈનની મદદથી લેવામાં આવી હતી. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું  સામે આવ્યું છે.

 આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે  સમીથી રાધનપુર ઘરે પરત ફરતી વખતે રિક્ષાનો એસટી સાથે અકસ્માત થયો હતો. એસટી બસના ચાલકે ઓવરટેઈકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મૃતકના પરિવારને સહાય ચૂકવવા માગ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા

તો સરકાર બસ અંગે વાત કરીએ તો હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસની ટક્કરથી રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડની બાજુમાં ખાડામાં જતી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

અકસ્માત અંગે શું બોલ્યાધારાસભ્ય લવીંગજી ઠાકોર

અકસ્માત અંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા રહ્યું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે. સરકારી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના 6 લોકોના કરુણ મોત થયા છે. અકસ્માત બાદ તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. રિક્ષામાંથી લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

વિડિઓઝ

Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Embed widget