શોધખોળ કરો

Akshardham Mandir: નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું-શું હશે ખાસ ?

ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઇ રહ્યું છે. સ્વામિનારાયણની બીએપીએસ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં નડિયાદમાં રાજ્યનું સૌથી મોટુ અક્ષરધામ મંદિર બનાવવામાં આવશે.

Akshardham Mandir: ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઇ રહ્યું છે. સ્વામિનારાયણની બીએપીએસ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં નડિયાદમાં રાજ્યનું સૌથી મોટુ અક્ષરધામ મંદિર બનાવવામાં આવશે. હાલમાં ગુજરાતમાં એકમાત્ર અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં આવેલુ છે, જ્યારે નડિયાદમાં રાજ્યનું બીજુ અને સૌથી મોટુ અક્ષરધામ મંદિર બનીને તૈયાર થશે અને મહંત સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 


Akshardham Mandir: નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું-શું હશે ખાસ ?

નડિયાદમાં બની રહેલા અક્ષરધામ મંદિરને લઇને મળેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં ખેડા જિલ્લાના નડિયાદમાં આ મંદિર બની રહ્યું છે. આ રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર હશે. આ મંદિરને યોગી ફાર્મ પીપલગ ખાતે 40 એકરમાંથી 12 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે, અહીં એક લાખ ઘનફૂટ ગુલાબી પથ્થરમાંથી ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાશે. નડિયાદના આ અક્ષરધામ મંદિરમાં 11 ઘુંમટ, 324 પિલર, 1210 ચોરસ ફૂટ પ્રદક્ષિણા પથ તથા અક્ષરદેરીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ખાસ વાત છે કે, બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીના હસ્તે આગામી 7 ડિસેમ્બર નડિયાદ અક્ષરધામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતીએ 2003માં પ્રમુખ સ્વામીએ સંકલ્પ કર્યો હતો આ સ્થળે મંદિર નિર્માણ કરાશે.


Akshardham Mandir: નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું-શું હશે ખાસ ?

અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યુ વિશ્વનું બીજું સૌથી મોટું અક્ષરધામ મંદિર - 

અમેરિકાના ન્યુજર્સીમાં ખુલવા આવનાર અક્ષરધામ મંદિર ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર કહેવાશે અને તેની ભવ્યતા એવી છે કે તસવીરો જોઈને આંખો ચમકી જશે. રોબિન્સવિલે, ન્યુ જર્સી, યુએસએમાં આવેલું BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર હોવાનું કહેવાય છે, તેના ભવ્ય ઉદઘાટન માટે તૈયાર છે.

આ મંદિરનું ઉદ્ઘાટન 8મી ઓક્ટોબરે થશે અને તે સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. અક્ષરધામ મંદિરનો અર્પણ સમારોહ 30 સપ્ટેમ્બરથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ચાલી રહ્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના રાજ્યોના વડાઓ અને નેતાઓએ આ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ન્યુ જર્સી, યુએસએમાં 12,500 સ્વયંસેવકો દ્વારા 12 વર્ષમાં બનાવવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ કાર્ય 2011 થી 2023 દરમિયાન થયું હતું. BAPS સ્વામિનારાયણ અક્ષરધામનો 10 દિવસનો ભવ્ય અર્પણ સમારોહ 8 ઓક્ટોબરે પૂર્ણ થશે અને આ દિવસે મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે. વર્ષ 2005માં નવી દિલ્હીમાં વિશાળ અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યું હતું, જેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. આ વર્ષે G20 સમિટ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે અહીં પહોંચ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે આને કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ ગણાવી ખુશી વ્યક્ત કરી છે અને અમેરિકાને અભિનંદન પાઠવ્યા છે.

ન્યુ જર્સીમાં આવેલ અક્ષરધામ વૈશ્વિક સ્તરે આવું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. BAPS સ્વામિનારાયણ અક્ષરધામને હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિનું સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. વિશ્વનું પ્રથમ અક્ષરધામ મંદિર વર્ષ 1992 માં ભારતમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું. તાજેતરમાં, 29 સપ્ટેમ્બર 2023ના રોજ લખેલા એક પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરે ન્યૂ જર્સીમાં અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહ અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ મંદિરની બાહ્ય અને આંતરિક સુંદરતા જોવા લાયક છે અને લોકો તેને જોઈને દંગ રહી જાય છે. આ મંદિરનો દરેક ખૂણો સુંદરતાથી ભરેલો છે. મંદિરના સ્તંભો પર સુંદર મોઝેક કરવામાં આવ્યું છે. મંદિરમાં રોશની સાથે રંગોનો સુંદર સમન્વય જોવા મળે છે. સૂર્યના કિરણો વચ્ચે આ મંદિર ખૂબ જ સુંદર લાગે છે. રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં અક્ષરધામ મહામંદિરનો ઉદ્ઘાટન સમારોહ એ વિશ્વભરના વિશાળ સંખ્યામાં ભક્તો માટે ગહન આધ્યાત્મિક મહત્વનો પ્રસંગ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget