Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર
રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે. જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ પડશે. ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થશે
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20 જુલાઈ થી રાજ્યમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. 23 થી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ અને અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ પવનની સ્થિતિ સારી છે અને કેટલીક સિસ્ટમ બની રહી છે. આ કારણે 29 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.





















