![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gir Somnath: સોમનાથ દાદાના દર્શેને પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, પોતાના સંકલ્પ અંગે આપ્યું મોટું નિવેદન
ગીર સોમનાથ: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ પહોંચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કેશોદથી બાય કાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા છે.
![Gir Somnath: સોમનાથ દાદાના દર્શેને પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, પોતાના સંકલ્પ અંગે આપ્યું મોટું નિવેદન Baba Dhirendra Shastri reached the darshan of Somnath mandir Gir Somnath: સોમનાથ દાદાના દર્શેને પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, પોતાના સંકલ્પ અંગે આપ્યું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/40245747a255bd4457dac184a1774acf1685528001496397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગીર સોમનાથ: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ પહોંચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કેશોદથી બાય કાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા છે. સોમનાથ મંદીરમાં પુજા અર્ચના સહીતનો લાભ બાબ લેશે.
બાબા બાગેશ્વરના ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથમાં કહ્યું કે, અમે સંકલ્પ કર્યો છે કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું. હિન્દૂ રાષ્ટ્રને લઈને પણ બાબા બાગેશ્વર બોલ્યા, ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.
રાજકોટના દિવ્ય દરબારમાં સીનિયર સીટીજનો માટે કરાઇ ખાસ વ્યવસ્થા
બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છે. સુરત, અમદાવાદ, અંબાજી બાદ હવે આજે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ જશે, અને સોમનાથમાં મહાદેવની પૂજા-અર્ચના કરીને રાજકોટ આવશે. માહિતી પ્રમાણે, ધીરેન્દ્ર શાસ્ત્રી બપોરે રાજકોટ પહોંચશે. બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સોમનાથ દાદાના દર્શન કરીને બપોરે 3 વાગે એરપોર્ટ પર પહોંચી જશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આવતીકાલથી બાબાનો બે દિવસીય દિવ્ય દરબાર રાજકોટના રેસકોર્સ ખાતે લાગશે.
ખાસ વાત છે કે, રાજકોટના રેસકોર્સમાં દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે અહીં 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, 1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્ય પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ, કોર્પૉરેશન, કલેક્ટર, વીજતંત્ર સહિતના વિવિધ સરકારી તંત્ર પણ સેવામાં ખડેપગે થઇ ગયા છે.
બાબા બાગેશ્વરથી પ્રભાવિત થઈ નૌશીન
બિહારની રાજધાની પટનાને અડીને આવેલા નૌબતપુરના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ થોડા દિવસો પહેલા પ્રવચન કર્યું હતું. બાબા બાગેશ્વરે પણ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરી હતી. બાબા બાગેશ્વરે પોતાના કાર્યક્રમ દ્વારા હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ઘણી વખત કરી છે. હવે મુઝફ્ફરપુરની નૌશીન પરવીન તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ અને પોતાનો ધર્મ બદલીને એક હિન્દુ છોકરા સાથે લગ્ન કરી લીધા. મામલો બિહારના હાજીપુરનો છે. રવિવારે (28 મે) ના રોજ, નૌશીને ગંગામાં ડૂબકી લગાવી અને રોશન કુમાર સાથે આચાર્યની દેખરેખ હેઠળ શિવ મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા. યુવતી મુઝફ્ફરપુરની રહેવાસી છે જ્યારે યુવક હાજીપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સહથા ગામના રહેવાસી ઉમાશંકર કુંવરનો 24 વર્ષીય પુત્ર રોશન કુમાર છે. નૌશીન અને રોશન એકબીજાને ઓળખતા હતા. કોલેજના સમયે જ જયપુરમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, પરંતુ અલગ-અલગ ધર્મના કારણે મુશ્કેલી સર્જાઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)