શોધખોળ કરો

Banaskantha : પાલનપુર હાઈવે પર 3 કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 2 લોકોના મોત, ઘટનાસ્થળે ઉમટી પડ્યા લોકોના ટોળેટોળા

પાલનપુર-દાંતા હાઈવે પર થુરના  પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. સ્કોર્પિયો, ઇકો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

બનાસકાંઠાઃ પાલનપુર-દાંતા હાઈવે પર થુરના  પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. સ્કોર્પિયો, ઇકો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. 

અકસ્માતમાં એટલો ભયંકર હતો કે, ત્રણેય કારના આગળના ભાગના ફૂર્ચેફૂર્ચા નીકળી ગયા હતા. અકસ્માતને પગલે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે 108 દ્વારા ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આણંદમાં એક જ પરિવારના ત્રણના મોત, બે દીકરીઓની હત્યા કરી પિતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા

આણંદઃ આણંદ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર મચી ગઇ છે. પિતા અને બે માસૂમ દીકરીઓના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

પ્રાથમિક જાણકારી અનુસાર પિતાએ બે દીકરીઓની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. જો કે હત્યા કે આત્મહત્યા તેનું કારણ હજુ પણ અકબંધ છે. આણંદ ટાઉન પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આણંદમાં 17 વર્ષીય છોકરાને 25 વર્ષીય યુવતી ભગાડી ગઇ હતી

મહત્વનું છે કે આ અગાઉ આણંદની 25 વર્ષીય યુવતીને 17 વર્ષીય છોકરા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ છોકરાને પ્રેમજાળમાં ફસાવીને યુવતી ભગાડી ગઈ હતી. જોકે, છોકરાના પરિવારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મોબાઇલ લોકેશનને આધારે બંનેને સુરતથી ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવતી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  આંકલાવ તાલુકાની 25 વર્ષીય યુવતી નર્સરીમાં કામ કરતી હતી, ત્યારે 17 વર્ષીય છોકરાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 1 જૂને લગ્નની લાલચ આપીને છોકરાને ભગાડી ગઈ હતી. યુવતી ઘરેથી 7 હજાર, જ્યારે યુવક ઘરેથી 5 હજાર રૂપિયા લઈને નીકળી ગયો હતો. 

બીજી તરફ છોકરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઇલ ફોનની કોલ-ડિટેઇલ અને લોકેશનને આધારે તપાસ કરતાં બંને સુરતના વરાછા ખાતેથી મળી આવ્યા હતા. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં હતાં.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
Embed widget