શોધખોળ કરો

કોંગ્રેસને હવે સરદાર પટેલ યાદ આવ્યા; આલિયા, માલિયા કે જમાલિયાનું દેશમાં નહીં ચાલે: નીતિન પટેલ

ભાજપના સ્થાપના દિને કડીમાં કાર્યકર્તા સંમેલન, નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર.

Nitin Patel: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪૬માં સ્થાપના દિવસ નિમિત્તે કડીમાં એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને હવે રહી રહીને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે સમજી ગઈ છે કે દેશમાં માત્ર ગાંધીજી, ઇન્દિરાજી કે જવાહરલાલ નહેરુના નામથી તેમનું રાજ ચાલશે નહીં. જો કોંગ્રેસને દેશમાં ફરીથી બેઠા થવું હોય તો તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાનું નામ લેવું જ પડશે.

નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે આલિયા, માલિયા કે જમાલિયાનું નહીં ચાલે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર પટેલનું નામ ડૂબતાને તણખલા સમાન સાબિત થયું છે, જે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.

આ ઉપરાંત, નીતિન પટેલે કોંગ્રેસની નીતિઓને દેશવિરોધી ગણાવી હતી. તેમણે વકફના કાયદા અંગે પણ ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આશ્ચર્યની વાત છે કે જે ઇસ્લામિક દેશોમાં વકફનો કાયદો નથી, તે આપણા દેશમાં હતો. તેમના આ નિવેદનોથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નીતિન પટેલે પોતાના ભાષણમાં કોંગ્રેસની ભૂલો અને ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને કાર્યકર્તાઓને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું.

નોંધનીય છે કે, અમદાવાદમાં મંગળવાર (8 એપ્રિલ, 2025) ના રોજ બે દિવસીય કોંગ્રેસ અધિવેશન શરૂ થયું હતું. પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મારા ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલગાવ કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી હતી. ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છ. દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ – આ બધા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.

ખડગેએ કહ્યું કે ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું હતું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી. આજે કોમી વિભાજન કરીને દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ Oligarchic Monopoly દેશના સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Embed widget