શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓના રસ્તા થશે ચકાચક, મુખ્યમંત્રીએ ₹1185 કરોડ મંજૂર કર્યા

સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડના રસ્તાઓ પહોળા અને અપગ્રેડ કરવા 1185 કરોડ રૂપિયા મંજૂર; ઐતિહાસિક દાંડી રૂટ, સુવાલી બીચ અને સાપુતારાનો પ્રવાસ થશે એકદમ સ્મૂથ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતના પ્રવાસન માટે ₹1185 કરોડના માર્ગ અપગ્રેડ મંજૂર.
  • સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગના રસ્તા 4-6 લેન બનશે.
  • સુવાલી બીચ, દાંડી રૂટ, દમણ-ઉદવાડા માર્ગો સરળ બનશે.
  • ડાંગ, સાપુતારા, ધરમપુરના પ્રાકૃતિક સ્થળોની પહોંચ સુલભ થશે.

જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં રહો છો અને વીકએન્ડમાં પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લીલાછમ જંગલો કે સુંદર પ્રવાસન સ્થળોએ જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે બહુ મોટા ખુશખબર છે. હવે તમારે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું નહીં પડે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના પ્રવાસનને એક મોટો 'બૂસ્ટર ડોઝ' આપ્યો છે. તેમણે સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના ફેઝ-1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના રસ્તાઓ અપગ્રેડ કરવા માટે 1185 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી દીધી છે. આનાથી રસ્તાઓ પહોળા, મજબૂત તેમજ 4 અને 6 લેનના બનશે, જેથી તમે આંખના પલકારામાં તમારા મનપસંદ હિલ સ્ટેશન કે બીચ પર પહોંચી શકશો.

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2024 માં ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 14.85 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રીના પ્રયાસોથી ગુજરાત પણ પાછળ નથી રહ્યું અને સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં આપણું ગુજરાત આખા દેશમાં 3 જા નંબરે પહોંચી ગયું છે.

સુવાલી બીચ અને ઐતિહાસિક દાંડી રૂટ પર જવું થશે સાવ સરળ

સુરત પાસે આવેલા સુવાલી બીચ પર હવે સહેલાઈથી પહોંચી શકાશે. અગાઉ કોસ્ટર હાઈવે ફેઝ-1 માં આ રોડ 10 મીટર પહોળો કરાયો હતો, પણ હવે પ્રવાસીઓની ભીડ જોતા મોરાથી સુવાલી બીચ સુધીના રસ્તાને 4-લેન (ફોર-લેન) કરવામાં આવશે.

આ ઉપરાંત, મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટને પણ અપગ્રેડ કરાઈ રહ્યો છે. અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પર આવતા કદરામા, એરથાણ, ટકરામા અને ભટગામ સહિતના ગામોને જોડતો રસ્તો હવે 3 મીટરમાંથી 7 મીટર પહોળો કરી દેવાશે. આનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રવાસ સુગમ બનશે.

દમણ અને ઉદવાડા જવાનો રસ્તો થશે એકદમ સ્મૂથ

વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદીના કોસ્ટલ હાઇવે પર એક નવો કોઝ-વે બનશે. દમણ અને વલસાડને જોડતા આ હયાત 10 મીટરના રસ્તાને પહોળો કરીને 4-લેન કરાશે. આ નયનરમ્ય રસ્તો દમણ, પારસીઓના પવિત્ર યાત્રાધામ ઉદવાડા અગિયારી અને ઉમરસાડી વોક-વે બ્રિજને જોડે છે, જેથી પ્રવાસીઓને રસ્તામાં પડતી હાલાકીનો કાયમી અંત આવશે.

ડાંગ અને ધરમપુરનું પ્રાકૃતિક સૌંદર્ય હવે હાથવેંતમાં!

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને આદિવાસી વિસ્તાર ડાંગ હવે શહેરોથી બિલકુલ દૂર નહીં લાગે. વઘઇથી આહવા જતો સ્ટેટ હાઇવે હવે 4-લેન બનવા જઈ રહ્યો છે. આ રસ્તો શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, ડોન હિલ સ્ટેશન, મહાલ કેમ્પ સાઇટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા જતા પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

એ જ રીતે, ચીખલીથી ખેરગામ થઈને રજવાડી નગર ધરમપુર જતા રસ્તાને પણ 4-લેન કરાશે. આ રસ્તો પહોળો થવાથી ચોમાસામાં વિલ્સન હિલ, કેવડી ઈકો-ટુરિઝમ, પદમડુંગરી, ઉનાઈ માતાનું મંદિર, વાંસદા નેશનલ પાર્ક અને ગીરા ધોધ જેવા પ્રાકૃતિક સ્થળો જોવા જતા સહેલાણીઓ ફટાફટ ત્યાં પહોંચી શકશે.

Frequently Asked Questions

દક્ષિણ ગુજરાતના પ્રવાસનને કયા કારણોસર બુસ્ટર ડોઝ મળ્યો છે?

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના ફેઝ-1 અંતર્ગત 1185 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આનાથી દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પહોળા અને મજબૂત બનશે.

ગુજરાત વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં દેશમાં કયા સ્થાને છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત, વિદેશી પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષવામાં દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.

સુરત નજીકના કયા પ્રવાસન સ્થળોએ હવે સહેલાઈથી પહોંચી શકાશે?

સુરત પાસે આવેલા સુવાલી બીચ અને મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાના રૂટ પર હવે સહેલાઈથી પહોંચી શકાશે. આ રૂટ પરના રસ્તાઓને 4-લેન અને 7 મીટર પહોળા કરવામાં આવશે.

દમણ અને ઉદવાડા જવાનો રસ્તો કેવો બનશે?

વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદીના કોસ્ટલ હાઇવે પર નવો કોઝ-વે બનશે. દમણ અને વલસાડને જોડતો 10 મીટરનો રસ્તો હવે 4-લેન બનશે.

ડાંગ અને ધરમપુરના પ્રાકૃતિક સૌંદર્યને હવે કેવી રીતે માણી શકાશે?

વઘઇથી આહવા જતો સ્ટેટ હાઇવે 4-લેન બનશે, જેથી સાપુતારા અને ડાંગના સ્થળો સરળતાથી પહોંચી શકાશે. તેવી જ રીતે, ચીખલીથી ધરમપુર જતો રસ્તો પણ 4-લેન બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget