શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે; 'ભૂમિ સીમાંકન' હેઠળ આખા રાજ્યમાં એકસમાન પદ્ધતિથી થશે પ્રશ્નોનો ઝડપી ઉકેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં નવી પદ્ધતિ લાગુ.
  • જિલ્લા કક્ષાએ 'ભૂમિ સીમાંકન સમિતિ' કામગીરી કરશે.
  • અરજીઓના ઝડપી નિકાલ માટે ૭ શ્રેણીમાં વર્ગીકરણ કરાયું.
  • સ્થળ પર નિરાકરણ માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' શરૂ થશે.

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે.

જિલ્લા કક્ષાએ બનશે ખાસ 'ભૂમિ સીમાંકન સમિતિ'

મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવે. આ સમિતિ પોતાના જિલ્લામાં જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ કમિટીમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જમીન દફતરના નાયબ નિયામક (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે.

અરજીઓના ઝડપી નિકાલ માટે નક્કી કરાઈ 7 કેટેગરી

જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે આવતી અરજીઓનો ગૂંચવાડો ન થાય અને આયોજનબદ્ધ રીતે તેનો નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે આવી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે:

  • સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, કોઈ વાંધો બાકી ન હોય અને ખાતેદારને પણ કોઈ પ્રોબ્લેમ ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, પણ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
  • સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય (આને 3A કેટેગરી નામ અપાયું છે).
  • ગામના ૩૦% થી વધારે સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થઈ ગયો હોય.
  • ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય.
  • ૩૦% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર (Cascading Effect) થયો હોય, અથવા હજુ પ્રમોલગેશન જ ન થયું હોય.

હવે અધિકારીઓ સામેથી આવશે: શરૂ થશે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ'

આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે, જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જઈને જ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે. આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે.

Frequently Asked Questions

જમીનની માપણીમાં સુધારા માટે કઈ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે?

ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિથી જમીન માપણીમાં થયેલી ભૂલોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે.

જમીન માપણીની ભૂલો સુધારવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવશે?

દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવશે. આ સમિતિ જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર દેખરેખ રાખશે.

જમીન માપણીની અરજીઓના નિકાલ માટે કેટલી કેટેગરી નક્કી કરાઈ છે?

જમીન માપણીની ભૂલો સુધારવા માટે આવતી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. આનાથી અરજીઓનો આયોજનબદ્ધ રીતે નિકાલ થશે.

જમીન માપણીના પ્રશ્નોના ઉકેલ માટે શું વ્યવસ્થા ગોઠવાઈ છે?

હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નોનો નિકાલ લાવશે. આનાથી ખેડૂતોનો સમય અને શક્તિ બંને બચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Embed widget