શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે; 'ભૂમિ સીમાંકન' હેઠળ આખા રાજ્યમાં એકસમાન પદ્ધતિથી થશે પ્રશ્નોનો ઝડપી ઉકેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં નવી પદ્ધતિ લાગુ.
  • જિલ્લા કક્ષાએ 'ભૂમિ સીમાંકન સમિતિ' કામગીરી કરશે.
  • અરજીઓના ઝડપી નિકાલ માટે ૭ શ્રેણીમાં વર્ગીકરણ કરાયું.
  • સ્થળ પર નિરાકરણ માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' શરૂ થશે.

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે.

જિલ્લા કક્ષાએ બનશે ખાસ 'ભૂમિ સીમાંકન સમિતિ'

મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવે. આ સમિતિ પોતાના જિલ્લામાં જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ કમિટીમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જમીન દફતરના નાયબ નિયામક (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે.

અરજીઓના ઝડપી નિકાલ માટે નક્કી કરાઈ 7 કેટેગરી

જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે આવતી અરજીઓનો ગૂંચવાડો ન થાય અને આયોજનબદ્ધ રીતે તેનો નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે આવી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે:

  • સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, કોઈ વાંધો બાકી ન હોય અને ખાતેદારને પણ કોઈ પ્રોબ્લેમ ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, પણ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
  • સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય (આને 3A કેટેગરી નામ અપાયું છે).
  • ગામના ૩૦% થી વધારે સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થઈ ગયો હોય.
  • ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય.
  • ૩૦% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર (Cascading Effect) થયો હોય, અથવા હજુ પ્રમોલગેશન જ ન થયું હોય.

હવે અધિકારીઓ સામેથી આવશે: શરૂ થશે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ'

આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે, જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જઈને જ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે. આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે.

Frequently Asked Questions

જમીનની માપણીમાં સુધારા માટે કઈ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે?

ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિથી જમીન માપણીમાં થયેલી ભૂલોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે.

જમીન માપણીની ભૂલો સુધારવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવશે?

દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવશે. આ સમિતિ જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર દેખરેખ રાખશે.

જમીન માપણીની અરજીઓના નિકાલ માટે કેટલી કેટેગરી નક્કી કરાઈ છે?

જમીન માપણીની ભૂલો સુધારવા માટે આવતી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. આનાથી અરજીઓનો આયોજનબદ્ધ રીતે નિકાલ થશે.

જમીન માપણીના પ્રશ્નોના ઉકેલ માટે શું વ્યવસ્થા ગોઠવાઈ છે?

હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નોનો નિકાલ લાવશે. આનાથી ખેડૂતોનો સમય અને શક્તિ બંને બચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget