શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

હવે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે; 'ભૂમિ સીમાંકન' હેઠળ આખા રાજ્યમાં એકસમાન પદ્ધતિથી થશે પ્રશ્નોનો ઝડપી ઉકેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં નવી પદ્ધતિ લાગુ.
  • જિલ્લા કક્ષાએ 'ભૂમિ સીમાંકન સમિતિ' કામગીરી કરશે.
  • અરજીઓના ઝડપી નિકાલ માટે ૭ શ્રેણીમાં વર્ગીકરણ કરાયું.
  • સ્થળ પર નિરાકરણ માટે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' શરૂ થશે.

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પણ મોટો વેગ મળશે.

જિલ્લા કક્ષાએ બનશે ખાસ 'ભૂમિ સીમાંકન સમિતિ'

મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવે. આ સમિતિ પોતાના જિલ્લામાં જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ કમિટીમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જમીન દફતરના નાયબ નિયામક (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે.

અરજીઓના ઝડપી નિકાલ માટે નક્કી કરાઈ 7 કેટેગરી

જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે આવતી અરજીઓનો ગૂંચવાડો ન થાય અને આયોજનબદ્ધ રીતે તેનો નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે આવી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે:

  • સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, કોઈ વાંધો બાકી ન હોય અને ખાતેદારને પણ કોઈ પ્રોબ્લેમ ન હોય.
  • સરકારી જમીન ઘટી ન હોય, પણ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
  • સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય (આને 3A કેટેગરી નામ અપાયું છે).
  • ગામના ૩૦% થી વધારે સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થઈ ગયો હોય.
  • ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય.
  • ૩૦% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર (Cascading Effect) થયો હોય, અથવા હજુ પ્રમોલગેશન જ ન થયું હોય.

હવે અધિકારીઓ સામેથી આવશે: શરૂ થશે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ'

આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે, જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જઈને જ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે. આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે.

Frequently Asked Questions

જમીનની માપણીમાં સુધારા માટે કઈ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે?

ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિથી જમીન માપણીમાં થયેલી ભૂલોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે.

જમીન માપણીની ભૂલો સુધારવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવશે?

દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં 'ભૂમિ સીમાંકન સમિતિ'ની રચના કરવામાં આવશે. આ સમિતિ જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર દેખરેખ રાખશે.

જમીન માપણીની અરજીઓના નિકાલ માટે કેટલી કેટેગરી નક્કી કરાઈ છે?

જમીન માપણીની ભૂલો સુધારવા માટે આવતી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. આનાથી અરજીઓનો આયોજનબદ્ધ રીતે નિકાલ થશે.

જમીન માપણીના પ્રશ્નોના ઉકેલ માટે શું વ્યવસ્થા ગોઠવાઈ છે?

હવે 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ' બનાવવામાં આવશે, જે સ્થળ પર જઈને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નોનો નિકાલ લાવશે. આનાથી ખેડૂતોનો સમય અને શક્તિ બંને બચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર
Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોનું હૃદય પરિવર્તન?
Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Dahod News: દાહોદના અભલોડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરી, 200 લોકોને થઈ અસર
Surat News: સી આર પાટીલનો AAPને પડકાર, 'ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો જાળવી બતાવો'
Surat News: સી આર પાટીલનો AAPને પડકાર, 'ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો જાળવી બતાવો'
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
'નિષ્પક્ષ ટીકા ઠીક છે, પરંતુ ન્યાયાધીશો પર પાયાવિહોણા આરોપ ન લગાવવા જોઈએ': સુપ્રીમ કોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની 99 રને ઐતિહાસિક જીત: તિલક અને અશ્વિનીનો તરખાટ
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
IPL 2026 Points Table: IPL 2026માં બીજી જીત બાદ પોઈન્ટ ટેબલમાં ક્યાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ટેક કંપનીઓએ 2026માં અત્યાર સુધી 73000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો શું છે કારણ?
ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’
ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’
Embed widget