શોધખોળ કરો

કામ વગર ઘરની બહાર નીકળ્યાં તો ખેર નહીં? ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ બીજી શું કરી અપીલ? જાણો

ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 15 એપ્રિલ સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે અને લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને માન આપી રહ્યા છે. જોકે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કામ વગર રખડતા લોકો પર પોલીસ ડ્રોન અને સીસીટીવીથી નજર રાખી રહી છે. અનેક જગ્યાએ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. શહેરની સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થતાં લોકો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીના લોકોએ કોમન પ્લોટમાં ભેગા ન થવું જોઈએ કારણકે તેનાથી પણ એકબીજાને કોરોનાનો સંક્રમણ થઈ શકે છે. સોશિયલ મીડિયા ગ્રુપ પર કોઈએ ભડકાઉ કે અફવા ફેલાવવા માટે લખાણ લખ્યું તો તે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરથી બહાર નીકળશો નહીં, આ તમામ પર પોલીસ કડક કાર્યવાહી કરશે. જાહેરનામાના ભંગ, IPC એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપિડેમિક એક્ટ મુજબ કેસ કરવામાં આવી રહ્યાં છે. વાહન ડિટેઈન કરવાની કામગીરી પણ ચાલી રહી છે. શહેરના યુવાનો જરૂર વિના રખડવા માટે બહાર ન નીકળે જો પોલીસ ગુનો દાખલ કરશે તો તેમની કારકિર્દીને ભારે અસર થશે. ભવિષ્યમાં નોકરી લેવામાં કે ઉચ્ચ અભ્યાસમાં ગુનાહિત ઈતિહાસ અભ્યાસ માટે બાધક બની શકે છે. જો વિદેશ જવું હોય તો પાસપોર્ટમાં પણ મુશ્કેલી પડી શકે છે. જેથી કારણ વિના બહાર નીકળવું નહીં. લોકડાઉન હોવા છતાં કામ વિના બહાર લટાર મારવા નીકળેલા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget