![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં કોરોનાનો ખતરનાક ટ્રેન્ડ, 50 ટકાથી વધુ અસરગ્રસ્ત યુવાનો, યુવાનો લપેટમાં આવતાં શું છે મોટો ખતરો ?
રાજ્યમાં શનિવારે કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા અને 2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
![ગુજરાતમાં કોરોનાનો ખતરનાક ટ્રેન્ડ, 50 ટકાથી વધુ અસરગ્રસ્ત યુવાનો, યુવાનો લપેટમાં આવતાં શું છે મોટો ખતરો ? Dangerous trend of corona in Gujarat, more than 50 Percent affected youth ગુજરાતમાં કોરોનાનો ખતરનાક ટ્રેન્ડ, 50 ટકાથી વધુ અસરગ્રસ્ત યુવાનો, યુવાનો લપેટમાં આવતાં શું છે મોટો ખતરો ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/04/e9be60373da641d4229ba45a31597f4d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી તાંડવ મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શનિવારે ગુજરાત (Gujarat)માં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી નવા કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આ ખતરનાક ટ્રેન્ડ માં 50 ટકાથી વધુ યુવાનો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસ (Corona) ના કેસ 16 થી 45 વર્ષના વયજુથમાં નોંધાયા છે. કોરોના મહામારી સંદર્ભે રજૂ થયેલા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં નોંધાયેલા 3,12,748 કેસમાંથી 1,15,025 સંક્રમિતો 16 થી 45 વર્ષના છે. વાયરસના વાહક બનનાર યુવાનો વરિષ્ઠ નાગરિકો માટે ખતરો બની શકે છે.
આરોગ્ય વિભાગે રિસર્ચ રિપોર્ટમાં આપેલા આંકડા અનુસાર, રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 4539 લોકોના મોત થઈ ચુક્યા છે. જેમાંથી 3980 લોકો 46 વર્ષથી વધુ વયના હતા.
વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કુલ વસ્તીના 8 ટકા એટલે કે 59 લાખથી વધારે નાગરિકો 60 વર્ષથી વધારે વયના છે. જેમાંથી 58,921 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમાંથી 2451 વરિષ્ઠ નાગરિકોનું નિધન થયું છે. જે કુલ મૃત્યુઆંકના 54 ટકા ઉંચો છે. 14 થી 45 વર્ષના કિશોર- યુવા વયજુથમાં સૌથી વધુ સંક્રમણનું પ્રમાણ હોવા છતાં ઈમ્યુનિટીને કારણે મૃત્યુનું પ્રમાણ 11.80 ટકા છે .
કોરોનાની બીજી લહેર બની રહી છે ઘાતક
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર (Corona second face) માં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદમાં બાળકોમાં કોરોના સંક્રમણ (Children Corona)ના કેસ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ 11 વર્ષથી નાના છ બાળકોને કોરોના થયો છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં કોરોના પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540 પર પહોંચ્યો છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નવજાતથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોમાં કુલ 2074 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં શનિવારે કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા અને 2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)